SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ કરે, નિર્જન અને નિરુપદ્રવ સ્થાનમાં જઈને રહે, સર્વ ચિંતાને ત્યાગ કરે, સિદ્ધાસન કે પદ્માસનાદિ આસને લાંબા વખત સુધી શાંતિથી બેસી શકાય તેવું આસન દઢ કરે, સમભાવ ધારણ કરે અને મનને નિશ્ચળ કરી “હું શુદ્ધ ચિપ છું આ પદસ્થ ધ્યાનને અભ્યાસ કરે. એથી કર્મને નાશ થાય છે. ઉત્તમ ધર્મ ધ્યાનની વૃદ્ધિ થાય છે અને છેવટે શાશ્વત શાંતિવાળા મેક્ષની પ્રાપ્તિ થાય છે. પૂર્વે ઉત્પન્ન થયેલાં વૃક્ષે વરસાદ થવાથી વૃદ્ધિ પામે છે તેમ નિર્મળ આત્માના ધ્યાનથી ધર્મની વૃદ્ધિ થાય છે. વરસાદ વરસવાથી અંકુરાઓ પ્રગટી નીકળે છે તેમ શુદ્ધ આત્માના દર્શનથી મેલ દેવાવાળ ધર્મ પ્રગટે છે. વ્રત લીધાં નહેય, શાસ્ત્રો ભણ્યાં નહેય, નિર્જન સ્થાનમાં નિવાસ ન કરાતો હૈય, બાહ્ય અભ્યતર સંગનો યોગ ન કર્યો હોય, મૌન ધારણ ન કર્યું હોય, અને પેગ ધારણ કર્યો હૈય, ઈત્યાદિ ક્યો વિના પણ જે તે નિરતર અખંડ આત્મજ્ઞાનનું જ ચિંતન કરતે હેય તે તે જીવનું મેક્ષ થઈ શકે છે. આત્મસ્મરણ એ એવી પ્રબળ વસ્તુ છે કે તેની અંદર વ્રતાદિ લીધા વિના પણ ત્રતાદિનું પાલન થઈ જ જાય છે, છ ખડનું રાજ્ય પાળતા છતાં પણ શુદ્ધ આત્માનું અખંડ સ્મરણ કરનાર, શુદ્ધ આત્મામાં રક્ત થયેલ, નિરતર તે તરફ લક્ષ બાંધી વર્તન કરનાર ભરત મહારાજા વિશેષ કમબધન કરતાં આરિસા ભુવનમાં કેવળજ્ઞાન પામ્યા. આ શુદ્ધ આંત્માના મરણનેજ મહીમા છે. સદા શુદ્ધ આત્માનું સ્મરણ કરનાર ઉપરથી વ્યવહારના સેકડે
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy