SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ કર્મ મલ રહિત શુદ્ધ આત્મા સંબંધી વિચાર કરે તેનું ધ્યાન કરવું, તેમાં તદાકાર થઈ રહેવું તે આત્માને શુદ્ધ ભાવ છે તે મોક્ષનું કારણ છે. પુન્યથી દેવ, રાજા, ચક્રવતિ આદિની ઋધિ મળે છે, પાપથી પશુ પક્ષી વૃક્ષ નરકાદિની ગતિ મળે છે અને તેનાં દુઃખ ભોગવવા પડે છે. શુદ્ધ આત્માના ધ્યાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ઉપરથી એ નિશ્ચય થાય છે કે શુભ અશુભ બને ભાવેને ત્યાગ કરી શુધભાવ ધારણ કરો, તેથી કર્મનો આવવાને માર્ગ રોકાય છે અને પૂર્વનાં કર્મો જે બાંધેલાં છે તેને ક્ષય થાય છે, છેવટે આત્મા સદાને માટે વિશુદ્ધ થાય છે. શુદ્ધભાવ કેમ કરે? આત્માને શુદ્ધ ભાવમાં લાવવાની ઈચ્છાવાળા જીએ પ્રથમ પોતાના મનને પાંચે ઈન્દ્રિયોના વિષયમાંથી ખેંચી લેવું–પાછું હઠાવવું અને તે મનને આત્મામાં નિશ્ચળ કરવા માટે તે કાંઈ પણ ચિંતન ન કરે તે તરફ લક્ષ આપ્યા કરવું–ચા જોયા કરવું. લાંબા વખતના અભ્યાસે મન આત્મામાં લીન થાય છે, સંકલ્પ વિકલપો કરતું બંધ થાય છે અને આ બાજુ આત્માને જ્ઞાતા દષ્ટા પણાને ભાવ પર્ણ મજબુત થાય છે. મન નિર્વિકલ્પ બને છે અને આત્મા પોતાના સ્વભાવમાં સ્થિર થાય છે. આ નિર્વિકલ્પ અને સ્વરૂપ દશામાં-અવસ્થામાં પૂર્વનાં બાંધેલા–સત્તામાં રહેલાં
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy