SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ બધો દૂર થતાં તેનું શુદ્ધ થાય છે તેમ કમની મલિનતા સર્વથા દૂર થતાં આત્મા સર્વથા શુદ્ધ થાય છે. વાયુ વિના જેમ સમુદ્ર તરંગ વિનાને થઈ રહે છે તેમ કર્મની મલિનતાના અભાવે આત્મા નિશ્ચળતા અને નિર્વિકારતા ધારણ કરે છે. ઇન્દ્રિયજન્યવિષયજ્ઞાન વિનાનું જે જ્ઞાન અંતરમાં પ્રતિભાસે છે તે સમ્યજ્ઞાન આત્માનું સ્વરૂપ છે, જ્ઞાનીઓ તેને જાણું અને અનુભવી પણ શકે છે. જેમાં તે અતીંદ્રિય જ્ઞાનને જાણું તથા અનુભવી શકે છે તે જ જ્ઞાની કહેવાય છે. જે પ્રકાશના અભાવે આ વિશ્વમાં બધું અંધકારમય ભાસે છે અને જેની હૈયાતિથી બધું પ્રકાશમય અનુભવાય છે તે પરમાત્માની-શુદ્ધ આત્માની જ્યોતિ છે, આ અંધકાર અને પ્રકાશ બનેને જાણવાની શક્તિવાળી આ જ્યોતિ છે. સર્વ પદા સ્વભાવથી જ પોતપોતાના સ્વરૂપમાં રહેલા છે. તેને પર પદાર્થ વડે કઈ વખત અન્યથા કરી શકાતા નથી. આકાશની માફક આત્મા નિર્મળ, અમૂર્ત અને અવિનાશી છે. સંગ સંબંધે આવી મળતાં પરદ્રવ્યે તેના સ્વરૂપને પિતાપણે કે અન્યથા રૂપે કરવાને સમર્થ થતાં નથી. દેહ અને આત્માને સદા ભેદ છે; કેમકે તે બન્ને ભિન્નજ્ઞાનથી જાણી શકાય છે અને ભિન્નજ્ઞાનથી પ્રાપ્ત કરી શકાય છે. ઈન્દ્રિયોથી ઉત્પન્ન થતા જ્ઞાનવડે દેહ જાણી શકાય છે. અને આત્મા સ્વસંવેદનસ્વાનુભવવાળા જ્ઞાનથી જાણી શકાય છે.
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy