SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ ગીતાર્થ હવે જોઈએ, એટલે સૂત્રઅર્થના રહસ્યને જાણકા-- ૨ હાય તેની નિશ્રાએ અનેક સાધુઓ વિચારી શકે છે. સાધુઓ પહેલે પિહર નવું ભણે, બીજે પહેરે તેને અર્થ વિચારે. સશક્ત સાધુ દિવસમાં એકવાર ભેજન કરે, લાન, બાળ, વૃદ્ધ અને વધારે અભ્યાસ કરનાર એકથી વધારે વાર પણ નિર્દોષ આહારાદિ કરી શકે છે. ઉનાળા કરતાં શીયાળામાં અને શિયાળા કરતાં ચોમાસામાં વિશેષ પ્રકારે તપશ્ચર્યા કરવી જોઈએ. ચોમાસામાં મજબુત બાંધાવાળા સાધુઓએ ઘી દુધ આદિ વિકૃતિને ત્યાગ કર જોઈએ. બે વખત પ્રતિક્રમણ નિત્ય કરવું અને રાત્રે સ્વાધ્યાય કરી ધ્યાન કરવું જોઈએ. આપસઆપસમાં ભણવું અને ભણાવવું. દિવસ રાત્રિને મોટે ભાગ નવીન જ્ઞાનને અભ્યાસ, સ્વાધ્યાય અને. ધ્યાનમાં નિર્ગમન કરવો જોઈએ. - સાધુ અને સાધ્વીઓને આચાર પ્રાચે સરખો છે. વિશેષમાં સાધવીઓને સાધુ કરતાં થોડાં વધારે વસ્ત્રો રાખવા પડે છે. એક માસ કહ૫ને બદલે બે મહીનાને તેમને માસકલ્પ હોય છે. બે મહીના પછી તેમણે અવશ્ય વિહાર કર જોઈએ, જ્યાં સુધી ચાલવાની શક્તિ હોય ત્યાં સુધી એક સ્થળે બીજું માસું ન કરવું. ત્રણ સાધ્વીથી ઓછી સાધવીઓએ વિહાર ન કરવો. સાધ્વીઓએ સારા મનુષ્યની વસ્તીવાળા ભાગમાં રહેવું જોઈએ. સાધુએ તે જંગલમાં પણ રહી શકે છે. વૃક્ષોની નીચે પણ રાત્રી વાસે કરી શકે
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy