SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ટા પ્રતિક્રમણથી સંવર. જેઓ ભક્તિ પૂર્વક સામાયિક, ચિત્ય સ્તવ, ગુરૂવંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચ્ચખાણમાં વર્તે છે તેમને સંવર થાય છે. આત્મતત્વમાં સ્થિર થઈને સર્વ દ્રવ્યના સમૂહમાંથી–સર્વ પદાર્થોમાંથી રાગદ્વેષને ત્યાગ કરે છે તે સમભાવની સ્થિતિને સામાયિકે કહે છે. સમય એટલે આત્મા તે આત્મામાં રહેવું તે સામાયિક. તે અવસ્થામાં રાગદ્વેષ ન હોવાથી રાંવર થાય છે. આવતાં કર્મ અટકાવવા તે સંવર છે. આ સંવરની સાથે કર્મની નિ જરાપણ હોય છે, છતાં આહી સંવરની મુખ્યતા છે. ૧ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ રત્નત્રય સ્વરૂપ-શુદ્ધ ચૈતન્યમય-કર્મ ઉપાધિથી રહિત આત્માની જેઓ નિરંતર સ્તુતિ કરે છે તેને જ્ઞાની સ્તુતિ કહે છે. કેઈપણ દેહની સ્તુતિ નહિં પણ વિશુદ્ધ આત્માની સ્તુતિ–પ્રશંસા કરવી તે વાસ્તવિક સ્તુતિ છે, તેનાથી કર્મનું આગમન રોકાય છે. વીશ તીર્થકરની સ્તુતિ કરવી તેને ચતુર્વિશતિસ્તવ કહે છે. તે સ્તુતિમાં અમુક તીર્થકર વિશેષની સ્તુતિ છે ત્યારે શુદ્ધ આત્માની સ્તુતિ કરવી તે પવિત્રાત્માની સામાન્ય સ્તુતિ છે. બન્ને કરવા યોગ્ય છે. ૨ પવિત્ર જ્ઞાન દશન ચારિત્રમય ઉત્તમ આત્માને. વંદના-નસરકાર મન વચન કાયા વડે કર તેને વંદના.
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy