SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૦ || કલ્પસૂત્ર જ નહીં ધાવવાથી આંસડા પડતી માતા શ્રીસખીએ પોતાના પતિ શ્રીકાંત આગળ વાત નિવેદન કરી. શેઠે * * ભાષાંતર ||| વૈદ્યો તેડાવી ઘણા ઉપચાર કરાવ્યા, પણ બાળક ધાવતું નથી. કરમાઈ ગયેલા માલતીના પુપની જેમ, તે || વ્યાખ્યાન, બાળક નહીં ધાવવાથી મ્યાન થઈ ગયે. અનુકમે તે બાળકને મૂચ્છ આવી, તેથી તેને મૃત્યુ પામેલે જાણું સગા-સબંધીઓએ તેને જમીનમાં દાટો ત્યાર પછી પુત્રના દુખથી તેને બાપ શ્રીકાંત પણ મરણ પામ્યા | | તે નગરીના રાજા વિજયસેને બાપ અને દીકરા બંનેને મૃત્યુ પામેલા જાણી તેનું ઘન લેવા માટે પિતાના સુભટોને મોકલ્યા. હવે એટલામાં તે બાળકના અટ્ટમ તપના પ્રભાવથી ધરણેન્દ્રનું આસન કર્યું. તેણે અવધિજ્ઞાનથી સઘળુ વૃત્તાત જાણ્યું. ત્યાર પછી ધરણેન્દ્ર આવીને ભૂમિમાં રહેલા તે બાળકને અમૃત છાંટી સ્વસ્થ કર્યો, અને પોતે બ્રાહ્મણનું રૂપ કરી, તેને ઘેરે આવી, ધન લેવા માટે આવેલા રાજના માણસને અટકાવ્યા તે સાંભળી રાજા પણ તુરત આવ્યા, અને કહેવા લાગ્યું કે હે બ્રાહ્મણ પર પરાથી ચાલી આવતી રીત પ્રમાણે અમે અપુત્રીયાનું ધન ગ્રહણ કરીએ છીએ, તેને તું શા માટે અટકાવે છે ?” ધરણે કહ્યું કે- હે રાજન ! શ્રીકાંતને પુત્ર હજુ જીવે છે, તેથી તમે ધન કેવી રીતે ગ્રહણ કરી શકે ? | રાજા વિગેરેએ પૂછયું કે શ્રીકાંતને પુત્ર કેવી રીતે જીવે છે, અને તે ક્યાં છે. ત્યારે ધરણેન્દ્રએ તે બાળકને જમીનમાંથી જીવતે કઢીને નિધાનની પેઠે દેખાડો. બાળકને જીવતે દેખી સઘળાઓએ આશ્ચર્યચકિત થઈ પૂછ્યું કે- સ્વામી આપ કોણ છે ? અને બાળક કેણ છેતેણે કહ્યું કે હું નાગરાજ આ ધરણેન્દ્ર છું, અમને તપ કરનાર આ મહાત્માની સહાય માટે આવ્યો છું ત્યારે રાજાદિકે પૂછ્યું કે = =
SR No.011546
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSubodh Lalbhai Ahmedabad
PublisherSubodh Lalbhai Ahmedabad
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_kalpsutra
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy