SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ કાઉસગ્ન રીતે કાઉસગમાં દયાન અપેક્ષિત છે. એકલા દયાન કરતાં કાઉસગ-ધ્યાનને વધારે ચડિયાતું ગણવામાં આવ્યું છે, કારણ કે કાઉસગ્ગ-ધ્યાન વિના કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. તીર્થંકર પરમાત્માએ કાઉસગ-મુદ્રામાં જ કેવળજ્ઞાન પામે છે અને નિર્વાણ પણ કાઉસગ્ન-મુદ્રામાં જ પામે છે. એટલે જ કાઉસગની એ મુદ્દાઓને “જિનમુદ્રા” પણ કહેવામાં આવે છે. - ઉપદેશપ્રાસાદમાં પૂ. લકમસૂરિએ કહ્યું છે? प्रायो वाङ्मनसोरेव, स्याद ध्याने हि नियंत्रणा । कायोत्सर्ग तु कायस्याप्यतो ध्यानात् फलं महत् ॥ [ ધ્યાનમાં પ્રાયઃ વાણી અને મનની જ નિયંત્રણ હૈય છે; પરંતુ કાર્યોત્સર્ગમાં તે કાયાની પણ નિયંત્રણ થાય છે. એટલા માટે ધ્યાન કરતાં કાર્યોત્સર્ગનું ફળ મેટું છે.] અલબસ ધ્યાન અને કાઉંસગ ઘણે અંશે પરસ્પરા-વલંબી તપે છે તે ભૂલવું ન જોઈએ. જ્યાં સ્થાન છે ત્યાં -એન્મે કાયાની સ્થિરતા આવવાને સંભવ છે અને જ્યાં કાઉંસગ્ગ છે ત્યાં ધ્યાન પ્રવર્યા વગર રહેતું નથી. મનુષ્યના જીવનમાં કાયા, શ્વાસે છૂવાસ, વાણું અને મન એ ચારે ચંચલતાથી, પ્રકંપનથી ભરેલાં છે. એને સ્થિર કરવાની ક્રિયાને જે ધ્યાન કહેવામાં આવે તે ફક્ત કાયાની સ્થિરતાને કાચિક ધ્યાન, શ્વાસોચ્છુવાસની મંદતા અથવા સ્થિરતાને અનાપાન ધ્યાન, વાણીની સ્થિરતાને વાચિક
SR No.011544
Book TitleJinatattva
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages185
LanguageGujarati
Classification
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy