SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પર જિનતત્વ. તે ધર્મક્ષમાં છે. ભયંકર નિમિત્તો મળતા પણ ગજસુકુમાલ, ' મેતારજ મુનિ વગેરેની જેમ ક્ષમાને ભાવ રહે તે ધર્મક્ષમા પહેલા ત્રણ પ્રકારની ક્ષમા અજ્ઞાની–મિથ્યાત્વી માણસેને. પણ હોઈ શકે. આ વિવિધ પ્રકારની ક્ષમામાં ધર્મ-ક્ષમાં શ્રેષ્ઠ છે. તે અનાયાસ હોય છે. પ્રતિક્ષણ તમામ જીવો પ્રત્યે ક્ષમાને. ભાવ સહજ રીતે જ વહ્યા કરે તે સહજ ક્ષમા છે. આપણી ધર્મ ક્ષમા સહજ-ક્ષમા બની રહેવી જોઈએ. ભૂલનો બચાવ કરી બીજાની સાથે લડવા માટે તત્પર એવા ઘણા લોકો હોય છે. પરંતુ ઘણા એવા સરળ માણસે પણ હોય છે કે જેઓ ભૂ લનો સ્વીકાર કરી, તે માટે તરત. ક્ષમા માગી લે છે. ક્ષમા માગવી એ બહુ અઘરી વાત. નથી. પરંતુ બીજા કેઈએ આપણું પ્રત્યે ભૂલ કરી હોય. તે તેને બદલે ન લેતાં તેને સાચા દિલની ક્ષમા આપવી. એ દુષ્કર કાર્ય છે. ઘણાં માણસે બીજા માણસને એની. નાનકડી ભૂલ માટે બરાબર પાઠ ભણાવવાના આશયથી. ઘણું મેટું વેર વાળતા હોય છે. પરંતુ સહિષ અને ઉદાર. એવા મહામના માણસે એવા પ્રસંગે પણ એને સાચી. ક્ષમા આપી, એનું હિત ઈચ્છતા હોય છે. બીજા જી. પ્રત્યે હૃદયમાં સાચે કરણાભાવ હોય તે જ આમ બની શકે.. 1. ક્ષમા એ કરુણાની બહેન છે, અને અહિંસાની દીકરી. છે. ક્ષમા ધારણ કરવામાં ઘણી મોટી નૈતિક હિંમતની. અપેક્ષા રહે છે. એટલા માટે જ ક્ષમા વીરસ્ય ભૂષણમ્, ક્ષમા
SR No.011544
Book TitleJinatattva
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages185
LanguageGujarati
Classification
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy