SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતત્ત્વ નિયાણુના પરિણામે પિતાના પિતા શ્રેણિકના મૃત્યુનું નિમિત્ત બને છે. - વ્યવહારમાં ભેગકૃત નિયાણ મુખ્યત્વે નવ પ્રકારનાં બતાવવામાં આવ્યાં છે. માણસને ભૌતિક સુખની વાંછના અતિશય હોય છે. તે પિતાના સુખને બીજાનાં સુખની સાથે વારંવાર સરખાવે છે, અને બીજાના જેવું સુખ પિતાને પ્રાપ્ત થાય તેવો સંકલ્પ કરવા લાગે છે. આવા સંકલ્પ તપની સાથે સંલગ્ન થતાં નિયાણું બની જાય છે. (૧) રાજા, (૨) શ્રેષ્ઠી, (૩) પુરુષ, (૪) સ્ત્રી, (૫) પરપ્રવિચાર, (૬) સ્વપ્રવિચાર, (૭) અલ્પવિકાર, (૮) દરિદ્રી અને (૯) વ્રતધારી શ્રાવક એવા મુખ્ય નવ પ્રકારનાં નિયાણ શાસ્ત્રોમાં ગણાવવામાં આવ્યાં છે. કેઈકને રાજા કે શ્રેષ્ઠીનું સુખ ભોગવવાની ઈચ્છા થાય છે; કેઈકને પુરુષપણું તે કઈકને સ્ત્રીપણું સુખ માટે વધુ અનુકૂળ અને ગ્ય લાગે છે; કેઈકને દેવદેવીઓનાં ભેગ ભેગવવાની ઈચ્છા થાય છે, કેઈકને દરિદ્ર અર્થાત્ અકિંચન રહેવામાં ભૌતિક સુખની શક્યતા વિશેષ જણાય. છે; તે કેઈકને વ્રતધારી શ્રાવક બનવામાં વધારે સુખ લાગે છે. આમ મુખ્ય નવ પ્રકારનાં ભેગકૃત નિયાણ ગણાવવામાં આવે છે. પણ તે ઉપરાંત બીજા અનેક પ્રકારનાં નિયાણુ હોઈ શકે. દુનિયામાં સૌથી વધુ સુખી કોણ?— એ પ્રશ્નના જવાબમાં ચકવતી રાજાથી માંડીને ભિખારી
SR No.011544
Book TitleJinatattva
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages185
LanguageGujarati
Classification
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy