SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતત્ત્વ તેમ દરેકની ચિત્તશક્તિ પણ એકસરખી ન હોઈ શકે. જૈન ધર્મની માન્યતા અનુસાર વર્તમાન સમયમાં, પાંચમા. આરામાં મનુષ્યને જે દેહ મળે છે તેની મર્યાદામાં રહીને. તે કેટલુંક સિદ્ધ કરી શકે છે. જૈન ધર્મે દેહના સંઘયણ. અને સંસ્થાનના પ્રકારે બતાવ્યા છે. શરીરનાં હાડકાંઓને જે બંધ હોય છે તેને સંઘયણ કહેવામાં આવે છે, અને શરીરના આકારવિશેષને સંસ્થાન કહેવામાં આવે છે. સંઘચણને આ પ્રમાણે છે પ્રકાર ઊતરતા ક્રમમાં છે : (૧) વા, ઋષભનારા સંઘયણ, (૨) ઋષભનારાંચ સંઘયણ, (૩) નાચ સંઘયણ, (૪) અર્ધનારાશ સંઘયણ, (૫). કીલિકા સંઘયણ, અને (૬) સેવા સંઘયણ. એ જ રીતે સંસ્થાનના આ પ્રમાણે છે પ્રકાર ઊતરતા કૃમમાં છે કે - (૧) સમચતુરન્સ સંસ્થાન, (૨) ન્યધ, (૩) સાદિ, (૪) વામન, (૫) કુજ, અને (૬) હુંડક. વળી આહિરા ત્રણ પ્રકાર બતાવ્યા છે : (૧) એજાહાર, (૨) માહાર અને (૩) કેવળાહાર. આ બધા પારિભાષિક પ્રકારની સમજણ જૈન શાસ્ત્રગ્રંથમાં સાંપડે છે, જે પ્રમાણે દેહ અને સંસ્થાન, તે પ્રમાણે તે જીવ પોતાની આત્મશક્તિને વધુ ખુરાવી શકે છે. તીર્થકરે અને કેવળજ્ઞાનીઓના દેહનાં સંઘયણ. અને સંસ્થાન ઉત્તમ પ્રકારનાં હોય છે. ચરમ તીર્થકર દેવાધિદેવ ભગવાન મહાવીરે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે લગભગ સાડા બાર વર્ષ જે તપસ્યા કરી તે અજોડ છે. વીરસ્ય ઘોર ત -એમ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે યથાર્થ જ કહ્યું છે. ભગવાન મહાવીર ક્ષત્રિય
SR No.011544
Book TitleJinatattva
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages185
LanguageGujarati
Classification
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy