SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમની સહચરી ગોચરી ૧૪. રહિત ભાત પાણી ગ્રહણ કરીને સંયમને રાશિ એકત્ર કરે છે તે સાધુ ભવવિરહુ(સંસારને વિદ–મેક્ષ)ને. શીધ્રપણે પ્રાપ્ત કરે છે. તે સંથાએ સો વવરહું રતિ : સાધુએ ભિક્ષા માગવા ક્યારે જવું અને ક્યારે ન. જવું, કયાં કયાં જવું અને ક્યાં ક્યાં ન જવું, કેવી રીતે જવું અને કેવી રીતે ન જવું, કે આહાર ગ્રહણ કરે અને કે ગ્રહણ ન કરે, ભિક્ષાન્ન તરીકે પિતાને અપાત આહાર જોઈ ને મનમાં કેવા કેવા ભાવો ન. આણવા, કેવા કેવા માયાચાર ન કરવા – ઈત્યાદિને લગતી. વિગતવાર છણાવટ આચારાંગસૂત્ર”ના બીજા ખંડમાં કલ્પસૂત્ર”માં તથા “પંચાશક આદિ અન્ય ગ્રંથમાં.. કરવામાં આવી છે. સાધુઓએ સાત પ્રકારની પિંડેષણ અને સાત પ્રકારની પારૈષણાનું પાલન યથાશક્તિ કરવા, ઉપર પણ બહુ ભાર મૂકવામાં આવ્યું છે. . પિતાનું સંચમી જીવન આત્મસાધનાથે ટકાવી રાખવા માટે જ આહારની જરૂર હોવાથી પારકા ઘેરથી. ભિક્ષા ગ્રહણ કરતી વખતે સાધુના મનમાં દીનતાને કે લાચારીનો ભાવ કયારેય આવા ન જોઈએ. પિતાને રોગ્ય (સૂઝતેકલ્પનીય) આહાર ન મળે તે સાધુએ શોક કે ખેદ ન કર જોઈએ. ક્યારેક ભૂખ્યા રહેવાનો વખત આવી પડે તો તે સુધાને, પરીષહ સમજીને કમનિજકરાનું નિમિત્ત સમજીને સમભાવપૂર્વક સહન કરી લેવી જોઈએ. સારે આહાર મળતાં સાધુએ હષિત ને
SR No.011544
Book TitleJinatattva
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages185
LanguageGujarati
Classification
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy