SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ સમની સહચરી ગોચરી , ૧૩૭ પિતાના સ્થાનમાં આવી, કેઈ ગૃહસ્થ ન દેખે તેવી રીતે આહાર વાપરે છે. આહાર મેળવવાની તેમની પદ્ધતિને ? ગોચરી” કહેવામાં આવે છે, કારણ કે ગાય જેમ એક જ જગ્યાએથી મૂળ સુધીનું બધું ઘાસ ન ખાતાં જુદી -જુદી જગ્યાએથી ઉપરઉપરથી થોડું થોડું ઘાસ ખાય છે, તેવી રીતે સાધુએ કોઈને પણ બા ન પડે તે રીતે જુદી જુદી જગ્યાએથી થોડું થોડું લાવીને પોતાને આહાર કરી લે છે. , “ગેચરી”ની જેમ “માધુકરી” શબ્દ પણ વપરાય છે. દશવૈકાલિકસૂ ત્રમાં લખ્યું છે કે જેવી રીતે ભ્રમર પુષ્પને જરા પણ ઈજા પહોંચાડ્યા વગર કે પીડા કર્યા વગર રસ ચૂસે છે તેવી રીતે સાધુએ દાતાને જરા પણ કષ્ટ ન પડે તે રીતે આહાર ગ્રહણ કરે જોઈએ. આ પ્રકારની સાધુની ચર્યાને “એષણાસમિતિ” કહેવામાં આવે છે. જુએ : " जहा दुमस्स पुप्फेसु भमरो आवियइ रसं । ण य पुप्फ किलामेइ सो य पीणेइ अप्पयं ॥ एमेए समणा मुत्ता जे लोए संति साहुणो । विहंगमा व . पुप्फेसु दाणभत्तेसणेरया ॥ - એષણાસમિતિની વ્યાખ્યા આપતાં કહેવાયું છે ? કુત, કારિત અને સમર્થન રહિત તથા પ્રાસુક, પ્રશસ્ત અને બીજી દ્વારા અપાયેલ આહાર સાધુએ સમભાવપૂર્વક ગ્રહણ કરવું એ એષણાસમિતિ છે.
SR No.011544
Book TitleJinatattva
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages185
LanguageGujarati
Classification
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy