SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ દઉં સંયમની સહચરી ગોચરી ભગવાન મહાવીરના નિર્વાણને ૨૫૦૦ થી વધુ વર્ષ થઈ ગયાં. એમના જીવન અને સંદેશને વિચાર કરીએ. છીએ ત્યારે તીર્થંકર પરમાત્માની વાણી કેવી ત્રિકાલાબાધિત હોય છે તેની પ્રતીતિ થાય છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થકર ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. એ સંઘમાં ત્યાગી સાધુ–સાધ્વીઓની આચારના નિયમ એવા ચુસ્ત અને કડક હોય છે કે તેનું આજીવન સંપૂર્ણ પાલન કરવાનું બધાને સહેલું નથીઆમ છતાં અઢી હજાર વર્ષથી તીર્થકર ભગવાન મહાવીર સ્વામીનું શાસન અખંડિત પરંપરાથી ચાલ્યા કરે છે એ. આપણે નજરે જોઈ શકીએ છીએ. આજે પણ જૈન મુનિઓને પિતાનું પવિત્ર જીવન જીવતા અને એક સ્થળેથી બીજા સ્થળે વિહાર કરતા આપણે જોઈએ ત્યારે ભગવાન મહાવીર કેવી રીતે વિચારતા હશે તેની પ્રતીતિ આપણને થાય છે; દિગંબર સાધુઓને જોતાં તેની સવિશેષ પ્રત્યક્ષ . પ્રતીતિ થાય છે. ) દિવસમાં માત્ર એક જ વખત ઊભાં ઊભાં, હાથમાં. લઈને આહારપાણ કરી લેવો અને પછી બીજા દિવસ સુધી અન્નનો દાણે કે પાણીનું ટીપું મેઢામાં ન મૂકવું, સખત શિયાળો હોય કે ભર ઉનાળે હય, શરીર ઉપર
SR No.011544
Book TitleJinatattva
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages185
LanguageGujarati
Classification
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy