SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ જન દષ્ટિએ તપશ્ચર્યા પર્યુષણ પર્વના દિવસે આવે એટલે જૈનોમાં વિવિધ પ્રકારની તપશ્ચર્યાએ ચાલુ થાય. સંવત્સરીને દિવસે તપની પૂર્ણાહુતિ થાય એવી રીતે ત્રીસ દિવસ અગાઉથી કેટલાક લાકે ઉપવાસ ચાલુ કરે છે. એક મહિનાના આ ઉપવાસ મા ખમણ” તરીકે ઓળખાય છે. કેટલાક એક્ટીસ દિવસના, સેળ દિવસના, ચૌદ કે અગિયાર દિવસના ઉપવાસ કરે છે. એથી વિશેષ, પર્યુષણના આઠેઆઠ | દિવસના ઉપવાસ–અડ્રાઈ કરનારાઓની સંખ્યા ઘણું હોય છે. કેટલાક છેવટે સંવત્સરીને દિવસે ઉપવાસ કરે છે. પર્વના દિવસે પૂરા થાય એટલે દરેક સંઘ પિતાને ત્યાં અરૂાઈ સુધીની કેટલી મોટી તપશ્ચર્યા થઈ તેની યાદી બહાર પાડે છે; તપસ્વીઓનું સમાન થાય છે; પ્રભાવના થાય છે; તપસ્વીઓના ઘરે ઊજવશું થાય છે. - દર વર્ષે કઈક કોઈક વ્યક્તિએ ત્રીસ ઉપવાસ - કરતાં વધુ તપશ્ચર્યા કરે છે. ૪પ દિવસ, ૬૦ દિવસ, ૭૫ દિવસ, 6 દિવસ, ૧૧૦ દિવસના ઉપવાસ –એમ મોટી આકરી તપશ્ચર્યાઓ પણ થાય છે. જેનોને એક ઉપવાસ એટલે બાર કલાકનો નહિ પણ છત્રીસ કલાકનો. ઉપવાસ કરનાર આગલી સાંજથી ઉપવાસના બીજા દિવસે સવારે સૂર્યોદય સુધીના છત્રીસ કલાકમાં અન્નનો એક દાણો પણ
SR No.011544
Book TitleJinatattva
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages185
LanguageGujarati
Classification
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy