SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ પચ્ચખાણ વિગતે વિચારણા થઈ છે. તે બધામાં હરિભદ્રસૂરિ અને હેમચન્દ્રાચાર્યના ગ્રંશે ઉપરાંત “શ્રાદ્ધવિધિ”, “પ્રવચનસારોદ્ધાર”, “અતિદિનચર્યા” તથા ચિત્યવંદન અને ગુરુવંદન વિશે ભાષ્ય લખનાર મહાન જૈનાચાર્ય દેવેન્દ્રસૂરિના “પ્રત્યાખ્યાન” વિશેના ભાષ્યમાં એ વિષયની મહત્ત્વની છણાવટ થઈ છે. એવી જ રીતે શ્રી માણવિજયગણિવરે “ધર્મસંગ્રહ” નામના ગ્રંથમાં પણ પચ્ચક્ખાણને અધિકારમાં એના પ્રકાર અને પેટાપ્રકારેની ઝીણવટપૂર્વક ચર્ચાવિચારણું કરી છે. આ ઉપરાંત “સંવેગ રંગશાળા વગેરે બીજા કેટલાક ગ્રંથોમાં પણ પચ્ચખાણના વિષયનું વિશદ નિરૂપણ થયેલું છે. આ બધા શાસ્ત્રગ્રંથમાં પચ્ચકખાણના વિવિધ પ્રકારો અને તેના પેટાપ્રકારે બતાવવામાં આવ્યા છે. પચ્ચકખાણના મુખ્ય બે પ્રકારો તે “મૂળ ગુણાત્મક” અને “ઉત્તર ગુણાત્મક છે. કહ્યું છે : प्रत्याख्यानं द्विधा प्रोक्तं मूलोत्तरगुणात्मकं । द्वितीयं दशधा. ज्ञेयं अनागतादिभेदकं ॥ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહએ પાંચને મૂળ ગુણ તરીકે ઓળખાવવામાં આવે છે. સામાયિક, પૌષધ, દિપરિમાણુ, અતિથિસંવિભાગ વગેરેને ઉત્તર ગુણ તરીકે ઓળખાવવામાં આવે છે. ઉત્તર ગુણ મૂળ ગુણતા પેષણને અર્થે હોય છે.
SR No.011544
Book TitleJinatattva
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages185
LanguageGujarati
Classification
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy