SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ લેજ છે કે માણસે દુઃખને વખતે ઉપાયે લેવા પણ જે કઈ પણ ઉપાયમાં ફાવીએ નહી તે પછી માત્ર ઇશ્વર ઈચ્છાને તાબે થઈ તેની પ્રાર્થના કરવી કારણ કે જ્યારે તે બચાવનાર અને નાશ કરનાર સમર્થ છે ત્યારે આપણે માટે પણ જે ધારશે તે કરશે એ વાતમાં શે મામા મારથ મનમાં રહ્યા, એક વખતે વિંધ્યાચળ પરવતમાં ફરતાં એક હાથીએ વિચાર કર્યો કે હવે તો કદંબ વનમાં જાઉં તે ત્યાં કઈ સારે ખોરાક મેળવું અને સુખમાં વિસ ગુજારૂં એમ વિચાર કરીને રસ્તે ચાલે જાય છે તેને જેઇને એક શીયાળ પણ મનમાં વિચાર કરવા લાગ્યું કે આ હાથી મોટું જનાવર છે તેને મારવાને કાંઈ ઘાટ ઘડું તો મારા કુટુંબને ઘણું દીવસ સુધી મહેનત કર્યા વગર સુખથી ખોરાક મળે એમ મનમાં ગોઠવણ કરીને તેની પાછળ ચાલવા લાગ્યા. એટલામાં એક પારધી ત્યાંથી જતો હતો તેની નજરે આ હાથી પડશે તેથી તેને મારવા માટે બાણ તાકીને ઉભે. તે જ્યાં છો હતો ત્યાં નીચે પગમાં જ એક સાપ પોતાના દરમાં એ વિચાર કરતે બેઠો હતો કે જે કાઈ ખોરાક મળે તે ઝડપથી ગળી જાઉં, જ્યારે પેલા હાથી
SR No.011541
Book TitleJain Katha Sangraha 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1890
Total Pages259
LanguageGujarati
Classification
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy