SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ , , , , કપિલાજી : પર૮ : * [ જૈન તીર્થોના અહીં શ્વેતાંબર મંદિર બહુ જ સુંદર છે. ચોતરફ ચાર કલ્યાણકની દેરીઓ છે જેમાં વચમાં પાદુકાઓ છે. વચમાં જિનમંદિર છે જેમાં મૂળનાયક શ્રી વિમલનાથ પ્રભુજી છે, પ્રતિમાજી સુંદર છે. મંદિરની બહાર નાની ધર્મશાલા છે. વચમાં વિશાલ ગાન છે. ચેતર ફરતે કિલે છે એટલે રક્ષણ સારું છે. વ્યવસ્થા સામાન્ય ઠીક છે. આ રથાન કાનપુરથી વાયવ્યમાં ૮૬ માઈલ દૂર છે અને અહીંથી આગ્રા ૧૧૩ માઈલ દૂર છે. અહી આવનાર શ્રાવકો માટે B. B, & G. I. રેનું ફરાબાદ જંકશન છે. અહીંથી B B. ની મીટરગેજમાં ૧૯ માઈલ દૂર કાયમગજ સ્ટેશન છે. અહીંથી કંપિલાજી તીર્થ ૬ માઈલ દૂર છે. ફરકાબાદથી મેટર રસ્તે પણ કપિલાજી જવાય છે, વિવિધ તકલપકારે “કોમ્પિલ્યપુર તીર્થકલ્પ' લખે છે જેને સાર સંક્ષેપમાં નીચે પ્રમાણે છે. આ જંબુદ્વીપના દક્ષિણ ભારતખંડમાં પૂર્વ દિશામાં પાંચાલ દેશ છે ત્યાં ગંગા નદીના તરગોથી જેના કિલ્લાની ભીંત દેવાય છે તેવું કપિલપુર નામનું નગર છે. અહીં ઈફવાકુ કુલના કૃતવર્મ રાજા અને શ્યામાદેવીની કુક્ષીથી વરાહ લંછનવાળા, સુવર્ણની કાયાવાળા શ્રી વિમલનાથને જન્મ થયે હતું. આ ભગવાનનાં ચ્યવન, જન્મ, રાજ્યાભિષેક, દીક્ષા અને કેવલજ્ઞાન આ પાંચ કલ્યાણક (તરણ તરણેક भगवश्रो चषण, नस्मण, रस्माभिसेस दिश्खा केषलनाणलक्खणाई xपंचलाणाई arઘા) થયાં છે, ત્યારથી આ પ્રદેશમાં આ નગરનું નામ પંચકલ્યાણક નામથી પ્રસિદ્ધ થયું. જયાં સૂઅર લછનવાળા ભગવાનને દેવતાઓએ મહિમા ઉત્સવ કર્યો તે રસ્થાન "સૂઅર ક્ષેત્રથી પ્રસિદ્ધિ પામ્યું. આ નગરમાં દસમા ચક્રવતી હરિષણ અને બારમા ચક્રવતી બ્રહ્મહત્ત ઉત્પન્ન થયા છે. ભગવાન મહાવીરસવામી પછી બસે ને વીસ વર્ષે થયેલ મહાગિરિ ખાચાના શિષ્ય કેડીજના શિષ્ય અશ્વમિત્ર નિનવ-થે નિહમિથીલાથી અહીંયા આવ્યા હતા અને તેને “ખેડબ્બા નામની શ્રાવિકાએ અહીં પ્રતિબંધ પમાડ હતે. અહીં સંજય નામને રાજા થયે, જે એક વાર કેસર વનમાં શીકારે ગયે હતા. ત્યાં તેમણે હરિને માર્યો અને પછી ગર્દભાલિ નામના અણુગારને જોયા, તેમના ઉપદેશથી પ્રતિબંધ પામી ત્યાં જ દીક્ષા લીધી, અત્યારના કપિલાજીથી ગંગા બહુ દૂર છે. • ૪ શ્રી જિનપ્રભસૂરિજી મહારાજે આ પાંચ કાણુક અહીં ગણું વ્યા છે કે બહુ જ અર્થસૂચક અને ગંભીર જણાય છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy