SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ ચંપાપરી ઃ ૪૪ : [ જૈન તીર્થના પહેલાં આ દિગંબરી મંદિર નહોતું. માત્ર આ માણેકસ્થંભ અને પાદુકા હતી. ધીમે ધીમે નાની વી ઘટવાથી પૃજારી બ્રાહ્મણના કબજામાં પાદુકા આવી. તે પાદુકા પિતાને ઘેર લઈ જઈને લાવવાની ગોઠવણું રાખેલી અને દર્શન નિમિત્તે યાત્રાળુઓ પાસેથી પૈસા પડાવતા હતા. પછી ત્યાંના દિગબરાએ તેને અમુક રૂપીઆ અને બીજી લાલચ આપી પાદુકા કન્સે કરી. જો કે પાછળથી તેની સાથે કાંઈક ઝઘડે થએલે, પરંતુ સમાધાન કરી લઈ ત્યાં મંદિર બંધાવ્યું અને પાદુક બેસાડી, અમુક સમય બાદ ત્યાં મત્તિ પધરાવી દિગંબર મંદિર કરી દીધું. એ ખાદ્યાણના વંશજે અદ્યાધિ પાદુકા સસુખ ચતી દરેક વસ્તુ લઈ જાય છે. બીજું મંદિર તે હમણાં જ બન્યું છે” વગેરે વગેરે. અહીં અમને ૧૨પ-સવા વર્ષની ઉમરવાળે એક બુદ્દો મળે હતે. ૧૮૫૭ ના પ્રસિદ્ધ બળવા વખતે તેની ઉમ્મર ૪૭ વર્ષની હતી. આ મુદ્દાઓ ચંપા નગરીને પ્રાચીન ઈતિહાસ તથા ઘણુ નવાં જૂના સ્થાને બતાવ્યાં. અમે પૂછયું; “ આ દિગમ્બર મદિર કયારે બન્યાં જવાબ “મારા દેખતાં બને બન્યાં છે. આજે મંદિરમાં બે મોટા થંભ ઉભા છે તે તામ્બર જેનેના છે; તેમજ એક પાદુકા હતી જે એક બ્રાહ્મણના કજામાં હતી. આ યાત્રિઓને દર્શન કરાવતે અને જે આવે તે બધું લઈ જતે. ધીમે ધીમે ત્યાં ઓટે બંધાવ્યા. પછી એ પાદુકા દિગમ્બર જૈનેએ વેચાતી લીધી અને તે જગ્યા પણું વેચાતી લઈ મંદિર બંધાવ્યું. અત્યારે પણ તેના વંશજેને મદિરમાં આવતાં બદામ, ચોખા, લવિંગ આદિ મળે છે.” અહીં એક પ્રાચીન કરણને કિલ્લો છે. તેમાં જૈન મંદિર હતું, પણ અત્યારે તે દેવીનું મંદિર છે. આ સિવાય બીજી પણ માહિતી આપી હતી. આ માણસ અમને તે પ્રસિદ્ધ લાગે. માયુસ બુદ્ધિશાળી અને વિચક્ષણ હ. અમને તરત જ કાન સાધુ તરીકે એળખ્યા. ઘણે ઈતિહાસ જાણે છે. આવી જ રીતે બળવા વખતે ૧૭ વર્ષની ઉમરવાળા બુટ્ટો મજે. તેણે યુદ્ધના ઘણે નવીન ઈતિહાસ સંભળા હતો આ બધા ઉપરથી એટલું તે નિવિવાદ સિદ્ધ થાય છે કે અહીં શ્વેતામ્બર જૈનોની વસ્તી સારા પ્રમાણમાં હશે. માણેક રયંત્ર અને પારકા વિગેરે વેતામ્બર ના હાથમાં હશે પરન્તુ મુગલાઈ હુલ વખતે તેનું પ્રભુત્વ ઘટ્યા પછી દિગમ્બર જૈન દેવસીએ આ સ્થાનને દિગમ્બર રસ્થાન તરીકે રાખ્યું હશે. ત્યાર પછી વળી મરાઠી અને મુગલાઈ હુલ્લડ વખતે - તે પુજારીના તાબામાં ગયું. તે પૂજારી દરેકને દર્શન કરાવતે-કરવા દેતે મને વૈષ્ણ ને પણ દર્શન કરાવી પૈસા લેતે હશે. પછી દિગમ્બરોએ પિતાની સત્તાસમયે પાદુકા અને સ્થાન મળ્યું વગેરે તેને ધન આપી પિતાના કામ કર્યું અને ધીમે ધીમે દરેક જેનું નહિં પણ પિતાનું તીર્થ સ્થાપવા દિગમ્બર મંદિર બંધાવ્યું.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy