SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ મનારસ આ નગરી બહુ પ્રાચીન છે. અહીં સાતમા તીર્થંકર શ્રી સુપાધનાથજી અને તેવી શમા તીર્થકર શ્રી પાર્શ્વનાથજીનાં ચાર ચાર કલ્યાણક થયાં છે. હાલમાં અહીં તાંબરોનાં નવ જિનમંદિરો છે. તેમાં રામઘાટનું મંદિર મુખ્ય છે. તેની વ્યવસ્થા યતિવર્ય શ્રીમાન નેમિચંદ્રસૂરિજી તથા વિદ્યાલકાર શ્રીમાન * શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના પિતાનું નામ સુપ્રતિષ રાજા, માતાનું પૃથ્વી રાણી. માતા પૃથ્વીરાણના બંને પડખાં રાગથી વ્યાપ્ત હતાં પરંતુ જ્યારે ભગવાન માતાની કક્ષમાં આવ્યા પછી બને પડખા રોગરહિત અને સુવર્ણવર્ણ તથા ઘણુ સુકેમળ થઈ માટે પુત્રનું નામ સુપાશ્વ રાખવામાં આવ્યું. (બીજે એ પણ ઉલ્લેખ મળે છે. કેપ્રભુના પિતાનાં બંને પડખામાં કાઢને રાગ હતા; ભમવતની માતાએ ત્યાં હાથ ફેરવવાથી તે રેગ મટયે હતે.) શ્રી સુપાર્શ્વનાથ પ્રભુજીનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન આ ચાર કવાણુક બનારસમાં થયા હતા. તેમનું બસો ધનુષ પ્રમાણુ શરીર અને વીશ લાખ પૂર્વનું આયુષ્ય હતું. સુવર્ણ વર્ણ અને લંછન સાથીયાનું હતું. * શ્રી પાર્શ્વનાથ ભગવાનના પિતાનું નામ અશ્વસેન રાજા, માતાનું નામ વામા રાણી. ભગવાન ગર્ભમાં આવ્યા પછી માતાએ અંધારી રાત્રે પિતાની પાસેથી જતો સર્ષ દીઠે હતો. તે સર્પના જવાના માર્ગમાં વચમા રાજાને હાથ હતા તે દેખી રાણુએ હાથ ઊંચો કર્યો. રાજાએ જાગીને પૂછ્યું કેમ હાથ ઊંચે કર્યો? રાણીએ સર્પ દીઠાનું કહ્યું. રાજા કહે એ જવું છે. પછી દીપકથી જોતાં સાપ જોયો, આથી પુત્રનું નામ પાર્શ્વકુમાર રાખ્યું. તેમનું નવ હાથપ્રમાણુ શરીર અને સે વર્ષનું આયુષ્ય હતું. શ્રી પાર્શ્વનાથ પ્રભુજમાં અવન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન “ચાર કલ્યાણુક થયાં છે. પ્રભુજીના નીલ વર્ણ અને સર્પનું લાઇન હતું.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy