SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરીક્ષ પાર્શ્વનાથ ૬ ૪૨૦ . [ જૈન તીર્થોને આ કવિરાજના લખવા મુજબ અઢારમી સદીમાં અંતરીક્ષ પાર્શ્વનાથનાં પ્રતિમાજી એક દેરા જેટલા અદ્ધર હતાં. બાદ અઢારમી સદીની શરૂઆતમાં જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી પ્રશિષ્ય શ્રી વિજયદેવસૂરિજીના ભાવવિજયજી ગઈ નામે શિષ્ય હતા. પૂર્વ કર્મના ઉદયથી તેઓ આંખેથી અપંગ (આંધળા) થયા. એક વાર દેવીએ વનમાં આવી, અંતરીક્ષ પાર્શ્વનાથજીનાં દર્શન કરાવી, ઈતિહાસ જણાવી ત્યા આવવા જણાવ્યું. શ્રી ભાવવિશ્વજીએ બીજે દિવસે બધી વાત સંઘને જણાવી. પાટણના શ્રીસંઘે (બીજે ખંભાતનું નામ મળે છે.) અંતરીક્ષને નાને સર્વ કાલ્યો. શ્રીભાવવિજયજી મહારાજ સંઘ સહિત અંતરીક્ષજી પધાર્યા. ખૂબ જ ભકિતભાવથી પ્રભુતુતિ કરી, હૃદયના ઉ૯લાસથી કરેલી ભકિતના પ્રતાપે નેત્રપટલ ખુલી ગયાં અને પ્રભુજીની પ્રતિમાનાં દર્શન થયાં. તેમણે બનાવેલ પ્રભુતુતિરૂપ તેત્ર પણ અવાવધિ વિદ્યમાન છે કે - પૂર્વ મંદિર છવું થઈ ગયું હતું. શ્રીભાવવિજયજી મહારાજને અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં આવી નૂતન મંદિર બંધાવવાનું જણાવ્યું. ગણિજી મહારાજે શ્રીસંધને ઉપદેશ આપી નૂતન મંદિર બનાવવાને જણાવ્યું. નૂતન મંદિરનું કાર્ય શરૂ થયું. અનુક્રમે ૧૭૧૫ માં ચિત્ર છે. ૬ ને રવિવારે નૂતન મંદિરછમાં પ્રતિષ્ઠા કરી ત્યારે પણ પ્રતિમા સિંહાસનથી અદ્ધર જ હતાં. આજે પણ એ જ પ્રતિષ્ઠા વિદ્યમાન છે. સુંદર ભેંયરામાં સૂરક્ષિત સ્થાનમાં પ્રભુજી બિરાજમાન છે. તેમજ શ્રી વિજયદેવસૂરિજીની તથા પં. શ્રી ભાવવિજયજી ગણીની પાદુકાઓ પણ છે. પ્રાચીન મહા ચમત્કારી શ્રી મણીભદ્રજીની સ્થાપના પણ છે. મૂલનાયકની બસે અઢી વર્ષની જૂની ચાંદીની આગી મળે છે આ સ્થાનમાં દિગંબરેએ ઘણા ઝઘડા કર્યા હતા પરંતુ તેઓ કયાંય ફાવ્યા નથી. અત્યારે તાંબર શ્રી સંઘ બાલાપુરની વ્યવસ્થા છે. શેઠ હેવસીલાલ પાનાચંદ અને તેમના સુપુત્રે શેઠ સુખલાલભાઈ શેઠ હરખચંદભાઈ વગેરે મુખ્ય વ્યવસ્થાપકે છે. શ્વેતાંબર શ્રી સંઘ તરફથી સુંદર ધર્મશાળાઓ છે. મુનીમ રહે છે, હમણાં જીર્ણોધ્ધાર પણ તાંબર સંઘ તરફથી ચાલે છે મદિરના નાના દ્વારમાંથી *શ્રી ભાવ છ ગણીવર (મારવાડ) સાચેરનગરમાં જન્મા હતા. તેમના પિતાજીનું નામ રાજમલજી હતું. તેઓ આમવાલ હતા. તેમની પત્નીનું નામ મૂળીબહેન હતું. તેમની કુશીથી ભાનુરામ નામે પુત્ર થશે તે વખતે મહાપ્રતાપી શ્રી વિજયદેવસૂરિજી ત્યાં પધાર્યા અને તેમના ઉપદેશથી વૈરાગ્યવાસિત બની ભાનુરામજીએ દીક્ષા લીધી. તેમનું નામ ભાવવિજ્યજી રાખ્યું. ટૂંક સમયમાં શાસ્ત્ર પ્રાપ્ત કરી; ગછિપદવી પણ પ્રાપ્ત કરી. તેઓશ્રીએ ઉત્તરાધ્ધવન સુત્ર ઉપર સુંદર, સરલ અને સક્ષિત ટીમ બનાવી છે જે આજ ઘણી જ પ્રસિદ્ધ છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy