SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ખ ભાત : ૨૪૨ : [ જૈન તીર્થોને સાગરાનંદસૂરિજીનું આનંદ પુસ્તકભંડાર, શેઠ નગીનદાસ જી હાઈસ્કુલ, બે જૈન કન્યાશાળાઓ પાઠશાળાઓ પણ સારી ચાલે છે. શેઠ દેવચંદ લાલભાઈની ધર્મશાળા ને બીજી પણ ધર્મશાળાઓ છે. સુરતમાં જેની વરતી સારા પ્રમાણમાં છે. ધાર્મિક રુચિ અને શ્રદ્ધા પણ સારી છે. ઝવેરાતને મુખ્ય છે જેના હસ્તક છે. સુરત જરીના કામ માટે ભારતવર્ષમાં પ્રસિદ્ધ છે. સુરતના લેકે શોખીન છે અને તેથી ત્યાંના લોકોને “સુરતી લાલા” એવા ઉપનામથી ઓળખવામાં આવે છે. મુંબઈ ઇલાકામાં આગળ પડતું શહેર છે અને તાપીના કાઠે હોવાથી બંદર તરીકે પણ તેની સારી ખ્યાતિ છે. અગ્રેજ લોકેએ સુરતમાં પિતાની કેઠી નાખેલ આ સિવાય કતાર ગામમાં શ્રી આદીશ્વર ભગવાનનાં બે સુંદર મંદિરે છે. રાંદેરમાં પણ મુનિસુવ્રતસ્વામીનું, આદિનાથજીનું, બે માળનું ભવ્ય મંદિર પાશ્વનાથજીનું, મનમોહન પાર્શ્વનાથજીનું અને ચિન્તામણું પાર્શ્વનાથજીનું મંદિર તેમજ લાયબ્રેરી પાઠશાળા વગેરે છે. શ્રી થંભન પાર્શ્વનાથજી (ખંભાત) આ તીસ્થાનમાં બિરાજમાન શ્રી સ્થભન પાર્શ્વનાથજીની પ્રતિમા ઘણાં જ પ્રાચીન અને ચમત્કારી છે. આ પ્રતિમાજીને ઈતિહાસ નીચે પ્રમાણે મળે છે. વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં થયેલા રામચંદ્રજી અને લક્ષ્મણજી વનવાસમાં રહેતા હતા તે સમયે લકેશ્વર રવણે રામચંદ્રજીની પત્ની સતીશરોમણે સીતા દેવીનું અપહરણ કર્યું. ત્યારપછી રામચંદ્રજી અને લક્ષમણજી સીતાજીને શોધતા શોધતા સૈન્ય હે લંકાની આ બાજુ આવી પહોંચ્યા. વચ્ચે મહાન સમુદ્ર અને સામે પાર લંકા નગરી હતી. સમુદ્રને કેવી રીતે પાર કર તેની ચિંતામાં આસપાસ ત્યાં નજીકમાં પડાવ નાખ્યા. થોડી વારમાં જ સમુદ્ર કિનારે રહેલ એક ભવ્ય જિનમંદિર જોયું. જિનમંદિરમાં જઈ દર્શન કર્યા. ત્યાં ભાવી તીર્થ કર શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની ભવ્ય પ્રતિમાજી હતાં. અને ભાઈઓએ આવા નિર્જન સ્થાનમાં શ્રી પાર્શ્વનાથજીની ભવ્ય પ્રતિમાજીના દર્શન કરી આશ્ચર્યચકિત થઈ પ્રભુની ખૂબ સેવાભક્તિ કરી. તપ, જપ અને ધ્યાનપૂર્વક પ્રભુની આરાધના કરી. તેમની ભક્તિથી સમુદ્રાધિષ્ઠાયક દેવ પ્રસન્ન થયા અને તેમની ઈચ્છાનુસાર સમુદ્રનું જલ થંભાવી દીધું. બાદ સમુદ્ર ઉપર પાજ બાંધી રામચંદ્રજી અને લક્ષ્મણજી સૈન્ય સહિત સામે પાર પહોંચી ગયા. પ્રભુજીની ભક્તિથી સમુદ્રનું જલ ભાઈ ગયું તેથી પ્રભુજીની સ્થંભન પાર્શ્વનાથજી તરીકે ખ્યાતિ થઈ. ૪ આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજીના ઉપદેશથી પાલીતાણામાં તળાટી નીચે શ્રી વદ્ધમાન જૈન આગમમદિર બન્યું છે તેવું જ સુરતમાં વદ્ધમાન જૈન આગમમંદિરતામ્રપત્ર ઉપરનું આગમદિર બનવાનું છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy