SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શંખેશ્વરપાર્શ્વનાથજી : ૧૫૮ : [ જેન તીર્થને ૧. ગુર્જરેશ્વર સિધ્ધરાજ જયસિંહના સમયના સૌરાષ્ટ્રના દંડનાયક, ગિરનારતીર્થને અધ્ધાર કરાવનાર દાનવીર ધર્મવીર સજજન મહેતાએ અહીં સુંદર દેવવિમાન જેવું ભવ્ય જિનમદિર બંધાવી વિ સં. ૧૧૫૫ માં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિની સ્થાપના કરી હતી. આ પ્રતિષ્ઠા સમયે કલિકાલસર્વન આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યજીના ગુરુવર્ય શ્રી દેવચંદ્રસૂરિજી વિદ્યમાન હતા. કદાચ તેમના ઉપદેશથી જ સજન મહેતાએ આ ઉધ્ધાર કરાવ્યે હશે. ૨ ગુજરાતના મહામાત્ય દાનવીર,ધર્મવીર, મંત્રીશ્વર વસ્તુપાલ તેજપાલે શ્રી વર્થમાન સૂરીશ્વરજી(વડગઝીય, સવિનયાક્ષિક)ના ઉપદેશથી શ્રી શંખેશ્વર પાર્થ નાથજીના નીર્થને મહિમા સાંભળી, ત્યાંને માટે સંઘ કાઢી, દર્શન કર્યા અને મંદિરની જીર્ણ સ્થિતિ નિહાળી સુદર જિનમંદિર બંધાવ્યું. ચોતરફ ફરતી જિનાલયની ટરીઓ બનાવી વિ. સ. ૧૨૮૬ લગભગમાં શ્રી વર્ધમાનસૂરીશ્વરજી વગેરે સુવિહિત સૂરિપુંગવ પાસે પ્રતિષ્ઠા કરાવી. આ વખતે દરેક દેરીઓને સોનાના કળશ ચઢાવ્યા હતા. આ જીર્ણોધ્ધારમાં મંત્રીશ્વર બંધુયુગલ વરતુપાલ તેજપાલે બે લાખ રૂપિયા ખર્ચ તીર્થભકિતને અનુપમ લાભ લીધે હતે. ૩ત્રીજા ઉધ્ધાર માટે જગડુચરિત્ર મહાકાવ્ય સ૬માં લખ્યું છે કે પૂર્ણિમાપક્ષના શ્રી પરમદેવસૂરિજીએ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની આરાધના કરીને વિ, સં. ૧૩૦૨ ની આસપાસમાં મહારાણા દુજનશલ્ય(ઝંપુર-ઝીંઝુવાડાના રાણા)ને કેને રેગ મટાડશે તેથી ઉક્ત સૂરિજી મહારાજના ઉપદેશથી રાણુ દુર્જનશથે શ્રી શંખેશ્વરપાનાથજીને છોધ્ધાર કરાવ્યા. ૪: રાણા દુર્જનશાના ઉદાર પછી ડાં વર્ષો સુધી આ મંદિર સારી અવસ્થામાં રહ્યું હતું પરન્તુ ત્યારપછી અલ્લાઉદ્દીન ખીલજીને ગોઝારે કાળ આવી પહોંચ્યા. એના ચિચે આ પ્રાચીન ભવ્ય મંદિરને વંસ કર્યો. શ્રાવકે એ મૂળનાયક ભગવાન અને બીજી મૃતિઓ સમય સુચકતા વાપરી જમીનમાં પધરાવી દીધી હોવાથી તેનું રક્ષણ થયું. આ મંદિર પહેલાં નગર બહાર હશે એમ લાગે છે. હાલ વિદ્યમાન શંખેશ્વર ગામની બહાર થોડે છેટે દટાઈ ગયેલા મકાનના અંશે દેખાય છે. ગામ લોકે કહે છે કે પુરાણું મદિર આ છે. ત્યારપછી જગદગુરુ શ્રી હીરવિજયસુરીશ્વરજી મહારાજના પટ્ટાલ કાર શ્રી વિજયસેનસૂરીશ્વરજીના ઉપદેશથી ગામના મધ્ય ભાગમાં બાવન જિનાલયનું મદિર બનાવવામાં આવ્યું હતું. - “ગુજરાતના ઐતિહાસિક સાધન ભાગ ૧-૨ લખ્યું છે કે “માનજી ગધારીએ નામના વાણુયાએ નવ લાખ રૂપિયા ખરચીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીનું દેવાલય બંધાવ્યું હતું. આ દેવાલયનાં શિખર ટ તથા ઘુમ્મટ પત્થરનાં અને આથમણે બેઠે હતાં. તેને ફક્તી પ્રદક્ષિણાની શિખરબધ દેરીએ જુદા જુદા ધણીએ કરાવી દેય એમ
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy