SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સુથરીઃ : ૧૪૪ : [[ જૈન તીર્થોને પછી આ મુખ્ય શહેર છે. ભવ્ય દુર્ગ, શાહીબાગ, પ્રાગમહેલ, આયનામહેલ, ટંકશાળ વિગેરે જેવા લાયક સ્થળ છે. અહીંની ચાંદીના વાસોની નકશી વખણાય છે. વસ્તી બાવીશ હજારની છે. આપણે બસો ને કથાનકવાસીના બસો ઘર છે. શ્રી પાર્શ્વનાથ, શાંતિનાથ અને આદિનાથના એમ ત્રણ જિનાલયે છે. આ ઉપરાંત અબડાસા, કડી, માગપર, વાગડ આદિ પ્રદેશમાં પણ સુંદર જિનમંદિર અને શ્રાવાની વસ્તી સારી છે. અબડાસાની પંચતીર્થી પ્રસિધ્ધ છે. ૧. સુથરી-સુંદર ભવ્ય જિનાલય છે શાંતિનાથ પ્રભુનું મંદિર છે, જેમાં પાષાણની કુલ ૧૧ર પ્રતિમા છે. આ સિવાય શ્રી પ્રદ્યુતકલેલ પાશ્વનાથજીની ચમલઈ ઉપાધ્યાયજીએ પ્રતિષ્ટા કરાવી હતી. વિવેકપંજ ૧૦૮ અવધાન કરતા હતા. તેમણે અનેક રાજાઓ અને સૂબાઓને પ્રતિબંધ આપ્યો હતો. મલકાપુરમાં, બેરીદપુરમાં અને જાલણમાં વાદીઓને હરાવ્યા હતા. જહાંગીરને પણ પ્રતિબોધ આપી અમારી પડદનાં ફરમાન તાજી કરાવ્યાં હતાં. જુઓ રીશ્વર ને સમ્રાટ' કચ્છના રોજ ભારમલજીને પ્રતિબોધ આપ્યો હતો જેથી તેમણે લેખ કરી આપી ઉમેશ માટે ગૌવત્ર બંધ કર્યો . ઋષિપંચમી સહિત પ પણાના આટ મળી ન દિવસે અહિંસા પળાવી હતી તથા શ્રાદ્ધપક્ષમાં, મૂર્વ એકાદશીઓ, રવિવારે, અમાવાસ્થાઓ તથા મહારાજાના જન્મદિવસે અને રાજ્યાભિષેકના દિવસે આખા રાજ્યમાં અહિંસા પળાવી હતી. આ સંબંધી આખો લેખ ખાખરના શત્રુંજયાવતાર ત્યમાં વિદ્યમાન છે. જુઓ પૂરવણી B * આ નામ પડવાનું કારણ શું? તે સંબંધી નીચેની કથા પ્રસિદ્ધિમાં છે. ઉદેશી નામના ગરીબ શ્રાવકને દેવે સ્વમમાં કહ્યું કે “ સવારે રોટલાની પોટકી બધી ગામ બહાર જજે. ત્યાં રસ્તામાં તેને એક માણસ મળશે, તેને માથે પિટલું છે. તારા રોટલાના પોટલાના બદલામાં તે તું ખરીદી લેજે. પિટલામાંની વસ્તુથી તું સુખી થઈશ. ઉદેશીએ સવારમાં જઈ તે પ્રમાણે કહ્યું. ઘરે આવી પિટલું છાયું છે તેમાંથી શ્રી પાર્શ્વનાથની મૂર્તિ નીકળી, જેને રોટલાના ભંડારિયામાં સૂતાં ભંડારિયું અખૂટ થઈ ગયું. સુથરીમાં આ વખતે એક નિ હતા તેમણે ઉદેશીને સમજાવીને તે મૂર્તિ ઉપાશ્રયમાં મુકાવી પણ રાત્રિ પડતાં જ તે મૂર્તિ અદશ્ય થઈ ગઈ અને ઉદેશીના ભંડારિયામાં પહેચી ગઈ. પછી યુતિએ એક નાની દેરી બંધાવી. તેની પ્રતિકાસમયે સ્વામી વાત્સલ કરતાં એક ઘીના કુડલામાંથી ઘી નીકળતું જ ગયું. કેને અતીવ આશ્ચર્ય થયું. કુડલામાં હાથ નાખીને તપાસ કરતા ઉદેશી શાહુવાળી મૂર્તિના દર્શન થયાં. તેમાં તેમને બહાર કાઢો અને “નકલોલ પાર્શ્વનાથ” એવું નામ રાખ્યું. આ મૂર્તિ એક ભવ્ય પ્રતિમા છે, તેની પ્રતિષ્ઠા થયાને લગભગ સો વર્ષ વ્યતીત થઈ જવા છતાં દિવસે દિવસે તેની જાડેજલાલી વધતી જ જાય છે. આ સુંદર જિનમંદિર ઠેઠ મદિર પરના કળશથી પ્રારબી જમીન પર્વત એક જ સરખા રંગથી સુશોભિત બનાવવામાં આવેલ છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy