SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સામગ્રી બતાવવા આવેલ છે. પુસ્તકમાં સૌથી પ્રથમ સૌરાષ્ટ્ર વિભાગ. ત્યારપછી કચ્છ પ્રદેશ, ગુજરાત, રાજપુતાના (મારવાડ-માળવા-મેવાડ), દક્ષિણ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રાંત, પંજાબ, પૂર્વદેશ (બંગાળ-બિહાર-એરીસા) અને વિચ્છેદ તીર્થો આવા કમથી તીર્થસ્થાનેને પરિચય આપવામાં આવ્યા છે. પુસ્તકમાં આવતાં તીર્થોને પરિચય સુજ્ઞ વાંચક, અનુક્રમણિકા અને પુસ્તક. વાંચનમાંથી મેળવી લેશે છતાં યે આપવામાં આવેલાં તીર્થોની ટૂંકી યાદી આપું છું. આ પુસ્તકમાંથી તીર્થસ્થાનો પરિચય આપવા સાથે મુખ્ય મુખ્ય શહેર કે જેમાં જિનમંદિર વિપુલ સંખ્યામાં છે, જેનોની વસ્તી પણ સારી સંખ્યામાં છે તેમજ જ્ઞાનમદિર, પુસ્તક ભંડાર વગેરેની વિશિષ્ટતા ધ્યાનમાં લઈ તે તે શહેરને પણ પરિચય આપે છે, અને આ શહેરે પણ તીર્થયાત્રામાં જતાં માર્ગમાં આવે છે તેને ખાસ પરિચય આપે છે. - સૌરાષ્ટ્ર વિભાગમાં મુખ્ય શત્રુંજય, ગિરનારને વિરતારથી પરિચય આપે છે. પ્રાચીન મુખ્ય ઉદ્ધારકે, ટુંકો ઈતિહાસ, રરતાઓ, ધર્મશાળાઓ, ધાર્મિક સંસ્થાઓ, પ્રાચીન શિલાલેખ વગેરે આપ્યા છે. છતાંએ આ પુરતક દશવર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું એટલે તે વખતની પરિસ્થિતિને અનુકૂળ રાજદ્વારી વાતાવરણને ખ્યાલ રાખીને જ અમુક વસ્તુ લખાઈ હતી, આજે હિન્દ આઝાદ થયા પછી તેમાં મેટું પરિવર્તન થયું છે એટલે વાંચકે તે વરતુ ખ્યાલમાં રાખે તે જરૂરી છે તેવી જ રીતે શત્રુજય ગિરિરાજમાં પણ દશ વર્ષમાં તે મહાન પરિવર્તન થયેલું નિહાળશે ખાસ કરીને શત્રુંજય ગિરિરાજની તલાટીમાં બનેલું ભવ્ય વિશાલ આગમમ દિર. આ આગમ મંદિર પૂજ્યપાદ આગબારક થી સાગરા નંદસૂરીશ્વરજી મહારાજની સતત પ્રેરણા અને ઉપદેશથી જામનગરનિવાસી સઘપતિ નગરશેઠ પિટલાલ ધારશીભાઈએ મુખ્ય મંદિર બંધાવ્યું છે. આ ભવ્ય અપૂવવ મંદિરની પ્રતિષ્ઠા સં, ૧૯૯૯ માં મહા વદિ દશમે થઈ છે તેનું નામ દેવરાજ શાશ્વત જિનપ્રાસાદ શ્રી વર્ધમાન જૈન બાગ મંદિર છે. આ આગમ મંદિરમાં ન દર્શનમાં સુપ્રસિદ્ધ અને પરમ માનનીય પીસ્તાલીસ આગમને સુંદર આરસની તપીઓમાં મનહર રીતે કરવામાં આવ્યાં છે. આખાએ મંદિરમાં ચારે બાજુ આગમથી કતરેલી મને હર શિલાઓ છે. તેની પાસે જ ગણધરમંદિર શ્રી સિદ્ધચક્ર મદિર છે. ગણધર મંદિર નીચે ભવ્ય ભેય- તલઘર છે, આ મંદિર જામનગરનિવાસી શેઠ અમૃતલાલ કાલીદાસભાઈએ કરાવ્યું છે. આ મંદિરમાં અનેક ગામના ભાવિક શ્રીમતિએ મૂતિઓ વગેર બિરાજમાન કરી મહાન લાભ ઉઠાવ્યે છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy