SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન જેને સંસ્કૃતિ ભારતની અગ્રગણ્ય સંસ્કૃતિઓમાંની એક છે. મુખ્યત્વે હિંસાવિજય અને મારવિય પર નિર્માણ થયેલી આ સંસ્કૃતિને ઈતિહાસ પણ ઘણે પ્રાચીન અને મહત્ત્વનું છે ને ધર્મવીરે, દાનવીરે અને કર્મવીરેનાં ઉજવળ ચરિત્રોથી ભરેલું છે. આ ધર્મની ભૂતકાલીન જાહોજલાલી, ઉન્નત કળાજીવન તથા ઉચ્ચકોટિના આત્મસમર્પણના પ્રતીકસમાં એનાં શિલ્પસ્થાપત્ય ને કળાભાવના તથા ધર્મભાવનાથી ભરેલાં તીર્થો છે. એ તીર્થો ભારતવર્ષના વિશાળ પટ પર સ્થળે સ્થળે પથરાયેલાં છે, ને એ જૈન તીર્થોને પ્રવાસી સહેલાઈથી ભારતભરની પુણ્ય યાત્રા કરી લે છે. અખિલ ભારતવર્ષીય શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોનું પ્રતિનિધિત્વ ધરાવતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી જૈન સંસ્કૃતિની ભવ્ય પતાકાસમાં જૈન તીર્થોના સંરક્ષણ ને સંગેપન વિષે હમેશાં ભારે ઉત્સાહ ધરાવતી રહી છે, એ ખૂબ જાણીતી બાબત છે. આ પેઢી તરફથી બહુ પ્રયાસે ને બહુ ખર્ચે “જૈન તીર્થ સર્વસંગ્રહ” નામનો ગ્રંથ તૈયાર થઈ રહ્યો છે, એવી માહિતી મારા મિત્ર અને જાણીતા લેખક શ્રી. જયભિખુ તરફથી મળી ત્યારે ખરેખર અવર્ણનીય આનંદ થયો. ઘણા વખતથી તીર્થ વિષયક અને પુરાતત્વ વિષયક મારી રુચિ અને અભ્યાસથી પરિચિત શ્રી. જયભિખુને પેઢી તરફથી સવિશેષ ધ લખવાનું નિમંત્રણ મળ્યું ત્યારે તેઓએ પેઢી પાસે મારું નામ રજૂ કર્યું. સારાંશમાં આ પુસ્તકને લેખન-સંપાદનભાર મારે સ્વીકારવાનું નક્કી થયું. પિઢીના માહિતી ખાતા તરફથી તીર્થોની ગામ, ઠામ, ઠેકાણું વગેરેની નેંધ શ્રી. સારાભાઈ નવાબ જેવાની દેખરેખ નીચે તૈયાર કરવામાં આવ્યાં હતાં. આ નેધ–ટિપણને ધ્યાનમાં રાખી દરેક તીર્થનું પ્રાચીન મહત્વ, અર્વાચીન સ્થિતિ તેમજ ઈતિહાસની વિગતો એકઠી કરવાનું કામ મેં શરૂ કર્યું, જે વિશેષ નેધ તરીકે ગ્રંથના પૂર્વાર્ધમાં આપવામાં આવેલ છે. સ્વલ્પ એવી આ સવિશેષ નેધ માટે તત્કાલીન મળી આવતા શિલાલેખે, તામ્રપત્રો, અવશે પ્રવાસીઓની ને. પ્રાચીન સાહિત્યગ્રંથ ને અવૉચીન પુરાતત્વવિદેના નિર્ણની છાનબીન કરવાની હતી. આ કામ ખરેખર, સાગરને ગાગરમાં ભરવા જેવું કઠિન હતું ! યુરોપીય વિદ્વાન ને વિદેશી સંશોધકોએ પણ ભારતનાં શિલ્પસ્થાપત્યભર્યા સ્થાના વિષે ગ્રંથાના ગ્રંથો લખ્યા છે; એ પણ સાથે સાથે જોઈ જવાના હતા. આપણા પૂર્વજોની તીર્થભક્તિ અને તીર્થસંરક્ષણની જૈન સંઘની તમન્નાને પણ એમાં અંજલિ આપવાની હતી અને ગ્રંથલાઘવની દષ્ટિએ ટૂંકા ગાળામાં એના કદને મર્યાદિત રાખવાનું હતું ! આ બધી મર્યાદામાં રહીને મેં મારું કામ શરૂ કર્યું. ગ્રંથના જૈન તીર્થ સર્વસંગ્રહ” એવા નામ ઉપરથી જ તેના વિષયને સામાન્ય ખ્યાલ આવી જાય એમ છે આ સંબંધે એટલે ખુલાસે કરો જરૂરી છે કે, આમાં શ્વેતાંબર જેનેની દૃષ્ટિએ જેન તીર્થો, તીર્થ ન હોય એવાં પ્રાચીન ગામનગર, અવૉચીન તીર્થો અને નગરે, તેમજ જેના સાંસ્કૃતિક ઘડતરમાં જૈન જનતાએ વિશિષ્ટ કાળો અચ્ચે હોય એવાં સ્થળમાં બની ગયેલી જૈન ઘટનાઓના જે ઉલ્લેખ મળી આવતા હોય તેને પણ અહીં સમાવેશ ચે છે. આ દૃષ્ટિએ મુખ્ય એવાં ૨૭૦ સ્થળો અને ખંડિત, વિસ્મૃત કે નામશેષ બનેલાં ૧૧૦ સ્થળે મળીને કુલ ૩૮૦ જેટલાં સ્થાનેને પરિચય આ સંગ્રહમાં આપવામાં આવ્યું છે અને પરિશિષ્ટમાં સાત પ્રકારની વિષયસૂચિઓ પણ -દાખલ કરી છે. આ વનને ક્રમ ગ્રંથના ઉત્તરાર્ધમાં આપવામાં આવેલા કેકે (કઠાઓ )ના ક્રમ મુજબ રાખવામાં આવ્યું છે. એટલે ગુજરાત, મારવાડ, મેવાડ, માળવા, સિધ-પંજાબ, દક્ષિણ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર–બંગાળ, આસામ અને એરિસા પ્રદેશનું ક્રમશ: વર્ણન આપ્યું છે.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy