SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ શેરપુર - ૪૩૬ • " सिद्धं महरजस्य वासुदेवस्य सं ८० हमव १ दि १०२ एतस्य पुष्यां सावको स धित संघनाधिस(१) वधुये बलस्य ॥" –મહારાજ વસુદેવનાં રાજ્યમાં ૮૦ વર્ષે હેમંતના પ્રથમ માસમાં બારમા દિવસે શ્રાવક..સ.ની પુત્રી બલની વધુ..... * ૮. કુશાન સંવત ૯૯નું મથુરાનું એક શિલ્પ, પીળી રેતીના પથ્થરમાં છે, જેને એક ટુકડામાં ઉપસાવેલે ભાગ બે રસ આકારના ભાગોમાં છે. ઉપરને ચેરસ સારી હાલતમાં છે. તેના ઉપર સૂપને આકાર છે. સ્તૂપની આસપાસ ૨ જિનમૂર્તિઓ છે. એક મૂર્તિ ઉપર છત્ર છે જ્યારે બીજી મૂર્તિ ફણાયુક્ત શ્રી પાર્શ્વનાથ ભગવાનની છે. નીચેના ભાગમાં એક સ્ત્રી બતાવી છે, જેણે એક હાથ ઊંચે કરેલ છે અને બીજો હાથ ધંધા ઉપર મૂકેલે છે, તેની ડાબી બાજુએ એક અર્ધનગ્ન પુરુષની આકૃતિ છે. પુરુષની ડાબી બાજુએ બે સ્ત્રીઓની નાની આકૃતિઓ છે અને તેમની પાછળ એક ઝાડ નીચે ઊભેલા નાગની આકૃતિ પ્રણામ કરતી બતાવી છે. આ ટુકડાના ઉપરના ભાગમાં આ પ્રકારે લેખ છે__सिद्ध सं० ९०९ नि० २ दि० १०६ कोटियातो गणतो ठनीयातो वैरातो शाखातो आर्यसुर शिशिनि धमशिरिये निवर्तना ............તસ્ય પિતા બનહથિ ! ના શ્રેષ્ટિ વિંગા શમન માં -સિદ્ધને નમસ્કાર. ૯૯ વર્ષે ગ્રીષ્મ તેના બીજા માસમાં સળમા દિવસે કટિય ગણુની સ્થાનીય કુલની વજૂશાખાના આર્યસુરની શિષ્યા ધર્મસિરિની આજ્ઞાથી શ્રદત્તની પુત્રી ધનહથિ. અનઘ શ્રેણી વિજા (વિદ્યા)કૃષ્ણ શ્રમણ. આ બધા લેખમાં આપેલા કેદ્રિયગણુ, વારણગણુ, બ્રહ્મદાસીયકુલ, સ્થાનીકુલ, ચેટિયકુલ, વજૂનાગરીશાખા, પંચનાગરીશાખા, માલિજજશાખા–આ બધા ગણે, કુલે અને શાખાઓ તાંબરીય સૂત્રની પટ્ટાવલીઓમાં પણ નિર્દિષ્ટ છે અને તેની સાથે મળતાં આવે છે. આ ઉપરથી નગ્ન મૂર્તિઓ પણ તાંબર સમાજમાં બરાબર માન્ય હતી એમ. પુરવાર થાય છે. ૨૪૪. શૌરીપુર (ઠા નંબર : ૪ર૬૭) શીકાહાબાદ જંકશનથી ૧૩ માઈલ દૂર અને નવી રેલ્વેના બાહા સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૫ માઈલ દૂર યમુનાના શિણ કાકે બટેશ્વર નામે ગામ વસેલું છે. અહીંથી લગભગ ૧ માઈલ દૂર પહાડી રસ્તે દોરીપુરનાં વંચાવશે આવેલાં છે. પ્રાચીન કાળમાં આજના બટેશ્વર વગેરેને સમગ્ર વિરતાર શોરીપુરમાં સમાઈ જતું હતું. આનાં સેરિયપુર, સપર. સારીપર અને શૌરીપુર વગેરે પ્રાચીન નામે મળી આવે છે. બટેશ્વર નામ તે ભદાવરનરેશે અહીં સ્થાપેલા ભડેશ્વર શંકરના મંદિર ઉપરથી ભદ્રેશ્વર વસ્યું તે પછી બટેશ્વર-વટેશ્વર નામ પડયું હોય કાં તે અહીં આવેલાં વડનાં વૃક્ષની બલતાથી જાહેરમાં આવ્યું હોય. ગમે તે હોય પણ આ બટેશ્વરની ભૂમિ જ પ્રાચીન કાળનું શૌરીપુર છે. આ દેશના નિવાસીઓની “શોરસેની' ભાષા વ્યાકરણા–શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. - ' મેગેસ્થિનિસે પિતાના ભારતભ્રમણ વૃત્તાંત નામે “એરિયન”માં શૌરીપુરને Calisoboraca ( કાલીબેરેકા) નામે ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે આ નગર યમુનાના જમણુ કાંઠે મનુષ્યથી ભરચક સુંદર અને સમૃદ્ધિશાળી નગર છે. * રનના પ્રાચીન આગમ ગ્રંથમાંથી “ સમવાયાંગસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, આવશ્યક નિર્યુક્તિ, કલ્પસૂત્રવગેરેમાં શૌરીપરને ગૌરવભર્યો ઉલ્લેખ મળે છે. ૨૫ આર્યદેશમાં કુશાવર્તની રાજધાનીનું આ નગર હતું. યાદવકુલતિલક શ્રીનેમિનાથ ભગવાનના જન્મથી પવિત્ર થયેલી આ ભૂમિ તીર્થધામની ખ્યાતિને વરે એમાં નવાઈ નથી. લગભગ પાંચમા-છઠ્ઠા સૈકામાં રચાયેલા “વસુદેવહિંડી”. નામના કથાગ્રંથમાં ઉલ્લેખ છે કે, “હરિવંશમાં સેરી અને વીર નામના બે ભાઈઓ હતા, જેમાં સરીએ “સેરિયપુર ? અને વીરે “વીર. વસાવ્યું. સોરીને પત્ર અંધક. ૧. Royal Asiatic Society Journal" Vol. I, p. 314. ' ': ' . . . . પણ મારા ચરીય એરી
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy