SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ રાત્રુજય ૧૦૦ રંગમંડપના ૧૨ થાંભલાઓ ઉપર ૨૪ દેવીઓનાં સ્વરૂપે આલેખ્યાં છે. ગભારાના એક ગેાખલામાં પદ્માવતીદેવી અને રંગમંડપના એક ખૂણામાં લક્ષ્મીદેવીની મૂર્તિ આ છે. ઉત્તર તરફના મઉંડપની પૂર્વ માજીએ વિમાન ઉપર જવા નવેસર સમરાજ્યેા છે. નીચેનું કામ જૂનું અને કળાપૂર્ણ છે. આ ભવ્યતામાં પણ આ મંદિર અનેખું તરી આવે છે. ‘મિરાંતે અહમદી’માં જણાવ્યા પ્રમાણે આ મંદિરમાં ૪૮ લાખ રૂપિયાનું ખરચ થયું છે. ૮૪૦૦૦ રૂપિયાનાં તે માત્ર દોરડાં જ લાવવામાં આવેલાં. આ ઉપરથી આ જમાનામાં કેટલે ખર્ચ થાય તેના અંદાજ પામી જવાય છે. 3. x. માટે નિસરણી મૂકી છે. ઉપરના ભાગ હમણાં જ મંદિર સ્થાપત્યની દૃષ્ટિએ બધી રીતે સપૂર્ણ છે. . ૭. છીપાવસહીમાં ત્રણુ મંદિર અને ચાર દેરીએ છે. છીપા ( ભાવસાર ) ભાઈઓએ આ ટૂંક સ. ૧૭૯૧માં ખોંધાવેલી હાવાથી એ છીપાવસહી’ નામે ઓળખાય છે. : આ ટૂંકમાં ચૌમુખજીની પાછળની ખારીએ આવેલું ‘ પાંડવાનું મંદિર ” અને · સહસ્રકૂટનું મદિર ’ Àાલી રહ્યું છે. પાંડવાના મંદિરમાં કેટલુંક સ્થાપત્ય પ્રાચીન સમયનુ જોવાય છે. સ. ૧૭૨૧માં શા. દલીચંઢ કીકાભાઈએ આના ઉદ્ધાર કરાવી નવેસર ખંધાવ્યું છે. તેમાં પાંચ પાડવેાની ઊભી મૂર્તિ, ખાજૂના ગેાખમાં કુંતા માતાની પ્રતિમા અને સામેના ગોખમાં દ્રૌપદીની મૂર્તિ શાભી રહી છે. સહષ્કૃટનુ મદિર સ. ૧૮૬૦માં સુરતવાળા શેઠ મૂળચંદ મયાભાઈ બાવચå બંધાવ્યું છે. તેમાં સહફૂટની રચનારૂપે ૧૦૨૪ મૂર્તિ સ્થાપન કરેલી છે. ચૌદ રાજલેકને આરસપટ્ટ, સમવસરણુ અને સિદ્ધચક્રની રચના પણ કરેલી છે. બહારના ભાગમાં ધનુર્ધારી કેટલીક મૂર્તિ છે, તેમાં રામ, લક્ષ્મણુ, સીતા, દશરથ, કૌશલ્યા, કૈકેયી, ભરત, હનુમાન વગેરેની પ્રાચીન મૂર્તિ એ જોવાય છે. ૫. નદીશ્વરની ટ્રક અમદાવાદવાસી નગરશેઠ પ્રેમાભાઈનાં ફઈ ઉજમફઈએ. સ. ૧૮૯૩ માં ખંધાવી છે. આને • ઉજમવસહી” પણ કહે છે. મંદિરના કેટમાં કાતરણીવાળી સુંદર પથ્થરની જાળીએ દિવાલેમાં જડેલી છે. મુખ્ય મંદિર ' નંદીશ્વરદ્વીપ 'ના નામે ઓળખાય છે. લગભગ ચારસ આકારની ગઢવણુમાં આ મંદિર અોડ છે. બાવન શૃંગવાળા ગિરિ-પાથી એળખાતી દેરીની રચનામાં આાવન ચૌમુખજી પધરાવેલા છે. ચેકની વચ્ચે મોટા શિખરવાળું મંદિર અને ચારે દિશામાં નાનાં શિખરવાળી દેરીએ છે. આ મ ંદિરમાં વિમાન નથી પરંતુ ચારે બાજુએ ઘૂમટાથી તે ઢાંકેલું છે. સાકરવસહી ટૂંક અમદાવાદનિવાસી શેઠ સાકરચંદ પ્રેમચંદે સ. ૧૮૯૩માં બંધાવી છે. મુખ્ય મંદિર શ્રીચિંતામણિ પાર્શ્વનાથની એ સમયે પ્રતિષ્ઠા કરેલી છે. મૂળનાયકનું મોટું સુંદર ખિમ પંચધાતુનું છે. અને ખાજુએ સ્ફટિકના સાથિયા છે અને મંદિરમાં શેઠ–શેઠાણીની મૂર્તિ એ પણ વિદ્યમાન છે. હીમવસહીની વિશાળ ટ્રક અમદાવાદના નગરશેઠ હીમાભાઈ એ સ. ૧૮૮૨માં ખ ́ધાવી, સ. ૧૮૮૬ માં તેમાંના મુખ્ય મંદિરની પ્રતિષ્ઠા કરાવી છે. મુખ્યમંડપના ઉપર ત્રણ શિખરો અને ત્રણ ઘૂમટ શેભી રહ્યાં છે. પ્રેમવસહીની ટ્રક અમદાવાદવાળા મેદી પ્રેમચંદ લવજીએ ખંધાવી છે, તેના મુખ્ય મંદિરની પ્રતિષ્ઠા સ. ૧૮૪૩ માં કરાવી છે. શ્રીઋષભદેવ ભગવાનનું મુખ્યમંદિર ઘણું મેટું છે. તેના દરવાજે પૂર્વ તરફ છે. ઉત્તર અને દક્ષિણ તરફના ઘૂમટ ઉપર ચડવાના માર્ગ છે. આગળના ઘૂમટના થાંભલા ઉપર દ્વારપાળનો આકૃતિએ ઉપસાવી કાઢી છે. બહારની દિવાલ ઉપર સુંદર શિલ્પા કોતર્યા છે. મુખ્ય મંડપ અને ચાકની ઉપર નીચા ઘાટના સાદા ઘૂમટે છે. ગભારા ઉપર ત્રણ શિખરો જોવાય છે. આ ટૂંકમાં આવેલા સહસ્રા પાર્શ્વનાથ ભગવાનના બે માળના મદિરમાં બે સુંદર ગાખલા કરાવેલા છે, તે ખરેખર માણુની પ્રસિદ્ધ કારીગરીના નમૂનાસમા લેવાય છે. મ ંદિરની છતમાં સાસુ-વહુની કથા આલેખી છે. તેમાં સાસુને સાપ વીંટાયાનું, પાડોશણને વીંછી ડંખ્યાનું અને વહુને વાંદરા કરડયાનાં ભાવમય આલેખના સુંદર રીતે બતાવ્યાં છે.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy