SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ પપ રૂપેપર જેનેની દૃષ્ટિએ આ ગામની મહત્તા શ્રી લલિતપ્રભસૂરિએ સં. ૧૬૪૮માં રચેલી “પાટણ ત્યપરિપાટીમાંથી સાંપડે છે. અહીંના જૈન મંદિરોનું વર્ણન તેઓ આ રીતે કરે છે. -રૂપપરિ ગઈ આવી તુ, પાસ (૨) ભેટ્યા મન રગઈ રે. ૧૮૭. છિદત્તરિ દિ પૂછઆ તુ, ભમતી જિન ચકવીસરે; બીજઈ દહઈ રૂપભજિન(૨)તુ, બઈ પઢિમા નામ શીસ રે. ૧૮૮. મહિલા ડુંગરિ ઘર ભણું તુ, અજિત જિર્ણદેવ (૩) તુ: છાસઠ નિણંદ અરચી તુ, સેઠિ બોઘા ઘરિ (૪) હેવ રે, ૧૮૯ -યુવીસ જિર્ણ નિરખી તુ, સેઠિ ગણરાજ ઘરિ(૫) આવી રે ત્રઈસઠ જિનવર તિહાં અછJ, સેઠિ વરતા ઘરિ (૬) ભાવ રે. ૧૯૦ શાંતિ કિસર પૂઈ તુ, ઈગ્યાર જિનવર સાર રે સેઠિ જ દેહરાસરઈ (૭) તુ, ચુવીસ જિન ઉદાર રે ૧૯. વૃહરા સાડા દહેરાસરિ (૮) તુ, પાસ જિણેસર દેવ રે ઉણાલીસઈ જિનવરા તુ, ગૌતમ કીજઇ સેવ રે, ૧૯ર. રંગા કોઠારી ઘર ભણી તુ, સેલમ જિર્ણસરસ્વામી રે, (૯) ચૌદ જિનવર તિહાં ભાવીઆ , સેઠિ અરજી ઘરિ પામી રે. ૧૯૩. વિશ્વન કુલમાં દિનરૂતુ, (૧૦)ચૌદ પડિમા તિહાંભાવી રે; અનંત ગુણ છઇ જિનછના તુ વયણે અમૃત શ્રાવી રે ૧૯૪. આ ચિત્યપરિપાટીમાં ૧૦ જિનમંદિર અને તેમાંની કુલ ૩૬૭ પ્રતિમાઓની નેધ આપી છે. આમાં કેટલાંક તે ઘર દેરાસરે અને કેટલાંક શિખરબંધી હશે. તેના બંધાવનાર જેને શ્રેષ્ઠીઓનાં નામે પણ આમાં નિર્દેશ્યાં છે. આ ઉપરથી જણાય છે કે સત્તરમા સૈકા સુધી આ મંદિર હતાં અને અહી ધનાઢ્ય ન શ્રેષ્ઠીઓની બહોળી વસ્તી હતી. એ પછી કયારે તે શા કારણે આ મંદિરે ધ્વસ્ત થયાં અને શ્રાવકે અહીંથી ઉચાળા ભરી ગયા એનું કારણ શોધવાનું જ રહે છે. અહીંના કેટલાયે કુછ ચાણસ્મામાં આવીને રહ્યાનું જણાય છે. અહીંના ટેકરાઓ અને જમીનનું ખેદકામ કરવામાં આવે તે અવશ્ય પ્રાચીન સામગ્રી મળી આવે; એમાં શંકા નથી. આજે અહીં એક માત્ર શ્રી નેમિનાથ ભગવાનનું વીશ દેવકુલિકાઓથી શોભતું શિખરબંધી સુંદર મંદિર છે પણ કમતીએ આ ગામમાં તેની સંભાળ લેનારે એકે જેન વસતો નથી. આ મંદિર ક્યારે બંધાર્યું હશે એ જાણવાને પણ કશું સાધન નથી. મળનાયકની મૂર્તિ પરિકબંધ છે. એનું શિ૯૫વિધાન અનુપમ છે. પરિકર નીચે વચ્ચે પ્રાસાદદેવી છે. તેની અને cએ હાથી અને બંને બાજુએ વાઘની રચના છે. દેવીની નીચે ધમચક્ર અને તેની બંને બાજુએ હરો આલેખ્યાં છે. આ મૂર્તિ ઉપરના પબાસણુમાં સં. ૧૧૨૧ને લેખ આ પ્રમાણે છે: “Sા સંan ૨૨૨૨ શ્રીધર વાર પીચ-વંતતો.નંa....: મંમા...નાના વૈરોટચાનામામાં તવ શુળવતી તવારિ I ધર્માય વિશ્વમેત સર(વ)રસરળદેવાર્થ () .....” આ લેખ બરાબર વંચા નથી તેમાં આપેલે “મંા” નગરને ઉલેખ તેની પ્રાચીનતાને પુરાવા આપે છે. આ પરિકરમાં સ્થાપેલા મૂળના શ્રીનેમિનાથ ભગવાન આ પરિકરના નથી એવું મૂડ ના ની ગાદી નીચે સંતુ ૧૫૩૩ના લેખ ઉપરથી પુરવાર થાય છે. જીર્ણોદ્ધાર વખતે એ પ્રાચીન મૂર્તિને બદલીને શ્રીનેમિનાથ ભગવાનની આ મૂર્તિને પ્રતિષ્ઠિત કરી હશે. ૧. હારીજથી ઉત્તર દિશામાં ૫ માઈલ દૂર આજે “માકા' નામે ઓળખાતું નાનું ગામ મૌજુદ છે, અગિયારમી–બારમી સદીમાં આ મંકા મોટી નગરી હતી. ૫-૬ દેરાસર વગેરે હતું. શ્રાવકની ઘણી વસ્તી હોવી જોઈએ. સં. ૧૯૩૫માં અહીંના એક ખેતરમાંથી ૭૫ કૃતિઓના પરિકરો નીકળ્યાં હતાં, તે બધાંય જમણપુર, હારીજ વગેરે આસપાસના ગામના શ્રીસંધને આપી દેવામાં આવ્યાં હતાં, મંક ગામની વિશેષ હકીકત જાણુવાવાળાઓએ “જૈન” પુત્રના તા. ૧૫-૫-૧૯૩૨ના અંકમાં પ્રગટ થયેલ મુનિરાજ, શ્રી જયંતવિજયજી મહારાજે લખેલો “મંકાનગરી અને તેના લેખો' શીર્ષક લેખ જોવે. કે
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy