SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ છપ્પન દિકુમારીએ સુખકારક સૂતિકર્મ કરે છે. ચાસ ઇન્દ્રો મેરુ પર્યંત ઉપર જન્માભિષેક કરે છે, જગત ક્ષણવાર સથા નિરુપદ્રવ સમૃદ્ધિમય અને આનંદમય થઈ જાય છે. તે આ રીતે— દેવતાઓ, મનુષ્યા અને તિય ચાના પરસ્પરનાં વૈર નાશ પામે છે. લેાકેાનાં આધિ અને વ્યાધિ શમી જાય છે. લેકમાં ક્ષુદ્ર ઉપદ્રવા થતા નથી. શાકિનીએ કોઈનુ કાંઈ પણ અનિષ્ટ કરી શકતી નથી. દુષ્ટ મંત્રો અને ત ંત્રા પ્રભાવ વિનાના થઈ જાય છે. ગ્રહેા શાંત થઈ જાય છે. ભૂત, પ્રેત વગેરેના ઉપદ્રવેા ઉપશાંત થાય છે, લેાકેાનાં મન પરસ્પર પ્રીતવાળાં થાય છે. પૃથ્વીમાં દૂધ, ઘી, તેલ, ઈક્ષુરસ વગેરેની વૃદ્ધિ થાય છે. સર્વાં વનસ્પતિઓને વિશે પુષ્પા, ફળે અને નવમલ પત્રની સમૃદ્ધિ થાય છે, મહાન ઔષધિઓના પાતપેાતાના પ્રભાવમાં ઘણી જ વૃદ્ધિ થાય છે; રત્ના, સાનું, રૂપું આદિ ધાતુઓની ખાણામાં તે તે વસ્તુઓની ઘણી જ અધિક ઉત્પત્તિ થાય છે. સમુદ્રોમાં ભરતી આવે છે. પાણીએ અત્યંત સ્વાષ્ટિ અને શીતલ થાય છે. ખધાં પુષ્પા અધિક સુગન્ધવાળાં થાય છે. પૃથ્વીમાં રહેલાં નિધાને ઉપર આવે છે. વિદ્યા અને મત્રોના સાધુકાને સિદ્ધિઓ સુલભ થાય છે. લેાકેાના હૃદયમાં સદ્ગુદ્ધિ ઉત્પન્ન થાય છે. પ્રાણીઓનાં મન યાથી આદ્ર થાય છે. મુખમાંથી અસત્ય વચનેા નીકળતાં નથી. બીજા આનુ ધન લઈ લેવાની બુદ્ધિ જાગતી નથી. કુશીલ લેાકેાના સંગ હાતે! નથી, કારણ કે લેાકેામાં કુશીલતા જ હેાતી નથી. ક્રોધ વડે પારકાને પરાભવ હાતા નથી, કારણ કે ક્રોધ જ હાતા નથી. વિનયનું ઉલ્લંઘન થતુ ં નથી, કારણ કે માન જ હાતા નથી, પારકાની વચના હેાતી નથી કારણ કે માયા જ હેાતી નથી. લેકે ન્યાયવૃત્તિનું ઉલ્લંઘન કરતા નથી, કારણ કેલેાભ જ હોતા નથી. માનસિક સંતાપ હેાતે નથી. પૂરને પીડા કરે તેવાં વચન કોઈ ખેલતુ નથી, કાયાથી અશુભ ક્રિયાઓ કાઈ કરતાં નથી. પાપ કરવાની બુદ્ધિ થતી નથી. લેકે સુકૃત કરીને મનશુદ્ધિવાળા થાય છે. લેકના મનેવાંછિતની પૂર્તિ
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy