SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ અહીં કેઈક પ્રસ્તાવમાં ઇન્ડે જિને અને બાકીના જિનેશ્વરે ઉપર તેમના શરીરથી બારગુણો ઊંચે હોય છે. અહીં કેઈ શકા કરે કે – “આવશ્યક ચૂર્ણિમાં શ્રી મહાવીર સ્વામીના સમવસરણના પ્રસ્તાવમાં કહ્યું છે કે –“સોજવરવાવ નિrઉદાત્તા વાર નવ વિવાતિ ” – ઈન્ડે જિનેશ્વરની ઊંચા ઈથી બાણો ઊંચે અશોક નામનો શ્રેષ્ઠ વૃક્ષ વિકુ, ને અહીં તે બત્રીશ ધનુષ ઊંચે કહ્યો, તે કેમ સંભવે ?” અહીં આ પ્રશ્નનો ઉત્તર એ છે કે –“આવશ્યક ચૂણિમાં જે બારગણું ઊંચાઈનું પ્રમાણ કહ્યું છે તે કેવલ અશોકવૃક્ષનું કહ્યું છે, અને અહીં જે બત્રીશ ધનુષનું માને કહ્યું છે તે સાલવૃક્ષ સહિત અશોકવૃક્ષનું પ્રમાણ કહ્યું છે. અહીં પણ અશકવૃક્ષ તે બારગણો જ જ સમજ. એટલે મહાવીર સ્વામીનું શરીર ઊ ચાઈમાં સાત હાથ છે. તેને બારગણું કરવાથી ચેરાશી હાથ એટલે એવીસ ધનુષ ઊંચે અશોકવૃક્ષ અને તેના ઉપર અગિયાર ધનુષ ઊંચો સાલવૃક્ષ હોવાથી બન્ને મળીને બત્રીસ ધનુષનું માન સમજવું. આ પ્રમાણે પ્રવચનસારે દ્ધારની વૃત્તિમાં કહેલું છે.” ૧૦. જ્યાં જ્યાં તીર્થકર વિચરે ત્યા ત્યાં કાટાઓ અધોમુખ થઈ જાય છે, એટલે માર્ગમાં રહેલા કાંટાઓની અણીઓ નીચી થઈ જાય છે. ૧૧. જ્યાં જ્યાં ભગવન્ત ચાલે છે ત્યાં ત્યાં વૃક્ષો ભગવાનને પ્રણામ કરતાં હોય તેમ નીચા નમે છે. ૧૨. ભગવાન લીલા સહિત જે સ્થલે વિચરે છે, ત્યાં આકાશમા દેવદ દુભિ વાગ્યા કરે છે. ૧૩. ભગવન્ત જ્યાં વિચરે ત્યાં સંવર્તક જાતિને વાય એક જનપ્રમાણ પૃથ્વીને શુદ્ધ કરીને (કચર વગેરે દૂર કરીને ) સુગંધી, શીતલ અને મંદ મંદ તેમ જ અનુકૂળ વાય છે, તેથી
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy