SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ શ્રી સમવાયાંગ સૂત્રમાં આ અતિશયને ચેત્રીશ અતિશયમાં સૌથી પહેલું સ્થાન આપવામાં આવ્યું છે. તે ઉપરથી એનું મહત્ત્વ સમજી શકાય તેવું છે. બીજા તેત્રીશ અતિશયોમાથી ચાર જન્મસમયથી જ હોય છે અને ૨૯ કેવલજ્ઞાન થતાં જ પ્રગટ થાય છે. જ્યારે આજ એક એવો અતિશય છે કે જે દીક્ષા સમયથી નિર્વાણ પર્યન્ત હોય છે. દેવકૃત બે અતિશયે ભગવતના શરીર સંબંધી છે, બીજા બધા દેવકૃત અતિશયે ભગવતના શરીરથી બાહ્ય છે. એમાં ચતુર્મુખતા અતિશય શરીર સંબધી હોવા છતાં ત્રણ પ્રતિશરીર દેવકૃત હોવાથી અપેક્ષાએ બાહ્ય કહેવાય પણ તે તે બાજુની પર્ષદાને તે જ ભગવંતનું સાક્ષાત્ રૂપ ભાસત હોવાથી બાહા ન પણ કહેવાય જ્યારે આ કેશ વગેરેની અવસ્થિતતાનો સ બંધ તે સીધે જ ભગવતના શિરીર સાથે જ છે. એ અપેક્ષાએ આ અતિશયનું સ્થાન મહત્ત્વનું છે. એ ખ્યાલમાં રહેવું જોઈએ કે આ અતિશય દેવકૃત છે. એટલું કે જ નહિ પણ દેવેદ્રત છે. એ વિશે વીતરાગસ્તવમાં અને તેનાં વિવરણ—અવચૂચિમાં બહુ જ સુંદર વર્ણન મળે છે. ત્યાં ભગવતની સર્વ વિરતિ-સામાયિકની મહાપ્રતિજ્ઞાના અવસરે ઉપસ્થિત થયેલ દેવગણમાંથી દેવેન્દ્ર સ્વયં આગળ આવે છે અને તે દિવેન્દ્રથી પ્રેરિત વજી વડે નખાદિમાં જે વધવાની શક્તિ છે તેને કુઠિત કરી દેવામાં આવે છે. તેથી તે નખ વગેરે વૃદ્ધિ કે હાનિ પામતા નથી. સદા એકસરખા રહે છે.” ઉપર કહેલ વિવરણ અને અવચયૂરિને સારાંશ આ રીતે છે ઃ હે સતિશાયી મહિમાને ધારણ કરનાર સ્વામિન્ ! એ સત્ય છે કે અન્ય શાસનોના સ્થાપક અસર્વજ્ઞ હોવાથી આપના જેવો કેવલજ્ઞાનાદિ આંતરિક રોગ મહિમા તો નથી જ પામી શક્યા, ૧ પ્ર. ૪ લો ૭
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy