SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ચોત્રીસ અતિશયમાં ચાર અતિશય ભગવંતને જન્મથી જ હોય છે, એ ચાર અતિશયે સહજ અતિશયો કહેવાય છે. ચેત્રીસ અતિશમાં અગિયાર અતિશે ઘાતિકર્મને ક્ષય થતાં જ ભગવંતને પ્રાપ્ત થાય છે. તેથી એ અગિયાર અતિશય કર્મક્ષયજ અતિશ–કર્મક્ષયથી ઉત્પન્ન થયેલા અતિશયે કહેવાય છે. ચોત્રીસ અતિશયમાં ઓગણીશ અતિશય દેવતાઓ કરે છે, તેથી તે દેવકૃત અતિશય કહેવાય છે. એમ (૪+૧૧+૧૯) કુલ ત્રીસ અતિશય છે. ચાર સહજ અતિશય આ રીતે છે – ૧ ભગવંતનું રૂપ જન્મથી જ અદ્દભુત હોય છે. શરીર સુગંધી તથા રેગ, પ્રસ્વેદ (પરસેવે) અને મેલથી રહિત હોય છે. ૨ ભગવંતનો શ્વાસેચ્છવાસ જન્મથી જ કમલ સમાન સુધી હોય છે. ૩ ભગવંતનાં રક્ત અને માંસ જન્મથી જ ગાયના દૂધની ધારા જેવાં ધવલ અને દુર્ગધ વિનાનાં હોય છે. ૪ ભગવંતની આહાર અને નીહાર (શૌચ) ની ક્રિયા જન્મથી જ અદશ્ય હોય છે. (અવધિજ્ઞાની વિના તેને કઈ પણ જોઈ ન શકે.) અગિયાર કર્મક્ષયજ અતિશય આ રીતે છે – ભગવંતના સમવસરણમાં ભેજન માત્ર ક્ષેત્રમાં મનુષ્ય, દેવે અને તિર્યચે કેડાછેડી સંખ્યામાં સમાઈ જાય છે, છતાં પણ કઈ પણ જાતની બાધા (સંકડાશ વગેરે) વિના, સુખેથી ભગવંતની વાણી સાંભળી શકે છે. ૧ અહી અતિશય અભિધાન ચિતામણિ ના ક્રમે આપ્યા છે.
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy