SearchBrowseAboutContactDonate
Page Preview
Page 826
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૧ પ્રકરણ ૬ ઠું : અંતિમ શુદ્ધિ શૂળ, ફ, આદિ દુષ્ટ રેશોથી ઘેરાઈને ત્રાસ પામે છે અને બરડા પાડે છે કે હાય ! હાય ! હવે હું મહાકષ્ટ પ્રાપ્ત કરેલી સુખોપભેગની આ સર્વ સામગ્રી તથા પ્રાણપ્યારા કુટુંબને છેડી ચાલ્યા જઈશ. આ પ્રમાણે મૃત્યુની ઈચ્છા વિના જ જે ગુરણા કરતે, ત્રાસ પામતે મૃત્યુને પ્રાપ્ત થાય છે તેને અકામ મરણ કહે છે. આ મરણથી મરનાર પ્રાણી આ સંસારમાં અનંત જન્મ મરણને પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી આવા એકમ મરણે મરે છે ત્યાં સુધી સંસારનાં દુખેથી છૂટી શક નથી, મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી. આવાં મરણ કરી અનંત કાળ વિનાવી દીધો. આમ, સંસારનાં મહાકષ્ટ ભેગવતાં જોગવતાં જયારે કોઈ ભળી જીવ સર્વ કમેની સ્થિતિ એક કોડાઝોડ સાગરોપમની અંદર રહે તેટલે હળુકમી થાય ત્યારે કંઈક ધર્મારાધનની. ભાવના જાગૃત થાય છે. સદ્ભાગ્યેાદયથી સદગુરુની સંગતિ પામીને સંસારના સ્વરૂપને સમજે છે, ભવજમાનાં દુઃખને જાણે છે ત્યારે તે દુખોથી ત્રાસિત બને છે. જન્મ, જરા, મરણનું સ્વરૂપ સમજવાની સહેજે અભિલાષા ઉત્પન્ન થાય છે. અને સકામ મરણને માટે જેમ કે શૂર, વીર, ધીર ક્ષત્રિય રાજ પર કઈ પરચક્રો રાજ ચડાઈ લઈને આવ્યા હોય ત્યારે તેના આગમનના સમાચાર સાંભળતાં જ તે વીર ક્ષત્રિયન રેમરોમમાં વીરરસ વ્યાપ્ત થઈ જાય છે અને તે તત્કાળ ચતુરંગિણી સેના સાથે સજજ થઈ રાજગુખને પરિત્યાગ કરી દે છે, ભૂખ, તરસ, ટાઢ, તાપ, આદિ કષ્ટોની તથા શસ્ત્ર તથા અસ્ત્રાદિના પ્રહારની લેશ પણ પરવા કરતા નથી. ઉલટે, તે દુઓને પણ સુખનું સાધન સમજી પિતાના પરાક્રમથી, કૌશલ્યથી શત્રુ સેનાને પ્રજાવતો તેને પરાજ્ય કરી પોતે વિયવંત બને છે અને પિતાના રાજને નિવિન બનાવે છે. આવી જ રીતે સકામ મરણનો ઈચ્છુક મહાત્મા કાળરૂપ શત્રુને. રેગાદિ ત દ્વારા નિકટ આબે જાણે તત્કાળ સાવધાન થઈ જાય છે અને શારીરિક સુખને પરિત્યાગ કરી સુધા, તૃષાદિ દુઃખની કિંચિત ૫૧
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy