SearchBrowseAboutContactDonate
Page Preview
Page 812
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર ૭૮૭ થવાને વખતે દોડતે દેડતે ઉપાશ્રયે આવે છે અને બિછાનું નીચે પટકી ઝટપટ કપડાં ખોલી, હાથ જોડી મુનિરાજને કહે છે કે, મેં પાણી પીધું નથી, મને પિ કરાવે, પોષ પચ્ચખીને પડિકમણું કર્યા બાદ સોડ તાણ સૂઈ જાય છે. અને એક દિવસ ઊગે ત્યારે જાગે છે. અને “નમે હત્યાણું, “નામ સધ્યારું બોલતાં કપડાં પહેરી બિછાનું બગલમાં દબાવી “મત્યએણે વંદામિ' કહેતાં એવી રીતે ભાગે છે કે જાણે જેલમાંથી છૂટયા! વિચારવું જોઈએ કે સંસારની લાલસા કેટલી બધી જમ્બર છે! અને ધર્મને કે નકામે સમજે છે ! સુજ્ઞ આત્માથી શ્રાવકનું તે કર્તવ્ય છે કે, આવી કુરૂઢિને છેડી સાચું શુદ્ધ પિષધદ્રત કરવાને પ્રયત્ન કરવો જોઈએ અને અન્યને પણ સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. શુદ્ધ પિષધવ્રતના સમાચરણથી આનંદ, કામદેવ, આદિ શ્રાવકે એકાવતારી થયા છે. બામું અતિથિ સંવિભાગ શ્રત જેઓ નિત્ય ભિક્ષાળે ન આવે, વારે નક્કી કરી તે પ્રમાણે પણ ભિક્ષાર્થે ન આવે તથા આમંત્રણ આપવા છતાં પણ ન આવે અર્થાત્ જેમના આવવાની કઈ મુકરર તિથિ નથી તે અતિથિ કહેવાય છે. એવા અતિથિ વિષય કષાયના શમાવવાવાળા, શુદ્ધિ માટે શ્રમ કરનારા શ્રમણ કહેવાય છે. તથા દ્રવ્યથી પરિગ્રહ રહિત અને ભાવથી કર્મગ્રંથિને ભેદ કરનાર હેવાથી નિગ્રંથ કહેવાય છે. એવા શ્રમણ નિગ્રંથ સાધુઓને માટે સદૈવ અચિત્ત અને ઔષણિક નિર્દોષ ભેજનાદિને સમવિભાગ કરે અર્થાત્ પ્રાપ્ત ભેજનાદિમાંથી અમુક હિસે વહેરાવવાને મને રથ શ્રાવક કરે અને સાધુને વેગ પ્રાપ્ત થયે પ્રતિલાભે તેને “અતિથિ સંવિભાગ” વ્રત કહે છે. १ तिथिपर्वोत्सवा सर्वे, त्यक्ता येन महात्मना । अतिथिः स विजानीया, च्छेषमभ्यागतं विदुः ।। અર્થ_જે મહાત્માએ તિથિ પર્વ, ઉત્સવાદિનો ત્યાગ કર્યો છે અર્થાત ફલાણે દિવસે જ ફલાણાને ત્યાં ભિસાથે જ એવો નિયમ બાંધીને આવતા નથી તેઓ જ અતિથિ કહેવાય છે શેષ ભિક્ષુક અભ્યાગત કહેવાય છે.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy