SearchBrowseAboutContactDonate
Page Preview
Page 796
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ–શ્રાવકાચાર ૭૭૧ થઈ જાય છે, તે શું એક મુહૂર્ત જેટલા કાળમાં એક સમય પણ શુદ્ધ પરિણામ નહિ આવે? શુદ્ધ સામાયિક કરવાના ઉદ્યમીને એક સમય તે શું પણ વિશેષ કાળ સુધી પરિણામ શુદ્ધ રહી શકે છે. આ વિશ્વાસ રાખીને હંમેશાં બને તેટલાં સામાયિક અવશ્ય કરવાં જોઈએ. સામાયિક વ્રત એ સંયમ ધર્મની વાનગી છે. સંયમ જાવજજીવનો હોવાથી સંયમી સાધુજી શાસ્ત્રવિધિ પ્રમાણે ખાન, પાન, શયનાદિ કરી શકે છે. અને ગૃહસ્થનું સામાયિક વ્રત સ્વ૯૫ કાળનું હોવાથી તેઓ ખાન, પાન, શયનાદિ કરી શકતા નધી. સામાયિકનું ફળ भार्या:-दिवस दिवस लक्खं, देइ सुवणस्स खंडियं एगो । इयरो पुण्ण सामाइयं, न पहुप्यहो तस्स कोइ ॥ ( [ સંબોધ સિત્તરી ] અર્થ-નિત્યપ્રતિ લાખ ખાંડી સેનાનું લાખ વર્ષ પર્યત + કઈ દાન દે તેનું પુણ્ય તે એક સામાયિક વ્રતના ફળની બરાબરી કરી શકે નહિ. કારણ કે તે દાન પુણ્યવૃદ્ધિનું કારણ છે. તેથી ભવિષ્યમાં સુખ સંપદાની પ્રાપ્તિ થઈ શકે છે, પરંતુ સામાયિક તે ભવભ્રમણથી છેડાવી મેક્ષનાં અનંત સુખને આપનારું છે. गाथा-सामाइयं कुणतो समभावं, सावओ घडीय हुग्गं । आउ सुरस्स बंधइ, इति अगिताई पलियाई ॥१॥ वाणवइ कोडिओ, लक्ख गुणसट्ठी सहस्सं पणवीसं । नवसीए पणवीसाए; सत्तिय अडभाग पलियस्स ॥२॥ [ પુણ્ય પ્રમાણ ] અથ–જે શ્રાવક સમભાવથી બે ઘડી (૪૮ મિનિટ)નું એક સામાયિક યથાવિધિ કરશે તે ૨; ૫૯, ૨૫, ૨પ૩ (બાણું કરોડ, ઓગણસાઠ લાખ, પચીસ હજાર, નવસે પચીસ પલ્યોપમ અને એક પાપમના આઠ ભાગ કરીને તેમાંના ૩ ભાગ) એટલું દેવગતિનું આયુષ્ય બાંધશે. * દેહ–લાખ ખાંડી સેના તણું, લાખ વર્ષ દે દાન, સામાયિક તુલ્ય નહીં, ભાખ્યું શ્રી ભગવાન.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy