SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૦ જૈન તત્ત્વ પ્રકાશ તથા દેવનાં કે વિદ્યાધરનાં વિમાનમાં બેસીને અથવા હવાઈ જહાજ (બલૂન)માં બેસીને આકાશમાં ગમન કરવું પડે ને તેના માઇલનું પરમાણુ કરે. ૨. અધા દિશાનું યથા પરિમાણુ અર્થાત્ નીચી દિશામાં ગમન કરવાનું પરિમાણુ કરે, જેમ કે–તલઘર, ભોંયરાં, સુવર્ણાદિની ખાણ ગુફા, કૂવા, વાવડી, વગેરેનું કેટલા માઈલ જવું તેનું પરિમાણ કરે. ૩. “ત્રીછી દિશાનું યથા પરમાણુ” અર્થાત્ ત્રીછી દિશામાં ગમન કરવાનું પિરમાણુ કરે, જેમકે પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં ઉત્તરમાં આટલા કેસથી અધિક મારે જવું નહિ એમ પચ્ચખાણ કરે. આ પચ્ચખ્ખાણુ એ કરણ ત્રણ ચેાગથી થાય છે. તેના હેતુ મર્યાદિત ક્ષેત્રની બહાર જઈને ૧૮ પાપ અને ૫ આસવથી નિવવાને છે. પરંતુ કોઈ જીવને બચાવવા માટે, સાધુનાં દર્શનાર્થે, કોઈ મહા ઉપકારનાં કામને માટે તેમ જ દીક્ષા ધારણ કર્યાં પછી મર્યાદિત ક્ષેત્ર બહાર જાય તા વ્રતભંગ થતા નથી. છઠ્ઠા વ્રતના ૫ અતિચાર ૧-૨-૩ ઉર્ધ્વ, અધે, તિય ગદશા પરિમાણુઅતિક્રમઊંચી, નીચી અને ત્રીછી ક્રિશામાં ગમન કરવાનુ... જે પિરમાણુ કર્યું. છે તેનુ' સમજણપૂર્વક ઉલ્લંધન કરે તે અનાચાર લાગે અને કરેલાં પરિમાણને ભૂલીને નશાના વશમાં બેભાન થઈ ને, મહાવાયુ-હવામાં હવાઈ જહાજ દ્વારા ઊડી જાય તા, રેલમાં, મેટરમાં નિદ્રા આવી જવાથી, જહાજ કે સ્ટીમરમાં તફાન આદિ થઈ જવાથી અને દેવ તથા વિદ્યાધર હરણ કરી લઈ જવાથીકદાચિત્ મર્યાદા ઉપરાંત ચાલ્યા જાય અને ત્યાં જઇને પાંચ આશ્રવમાંથી કોઈ આશ્રવનુ સેવન કરે તે અતિચાર લાગે અને એવી રીતે મર્યાદા બહાર જવાનું જ્યાં ભાન થયું ત્યાંથી જ પાછા ક્રૂ અને મર્યાદિત ક્ષેત્રની અંદર આવે ત્યાં સુધી આશ્રવનુ સેવન કરે નહિ. તેવી જ રીતે, વાયુમાં ઊડીને કોઈ વસ્તુ મર્યાદિત ક્ષેત્રની મહાર ચાલી ગઇ હાય, કૂપાદિમાં પડી ગઈ હોય તેને લેવા
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy