SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૧. પ્રકરણ ૫ મું : સાગારી ધર્મશ્રાવકાચાર जहा धन्नाण खखणट्टा, कर ति वइओ जहन हे वत्थ ! तह पढम वय रक्खणट्ठा, करति वयाइ सेसाइ !! અર્થ જેમ ધાન્યના ખેતરની રક્ષાને અથે તેની ચારે તરફ કાંટાની વાડ કરે છે, તેવી જ રીતે આ પ્રથમ વ્રતના રક્ષણાર્થે આગળ કહીએ છીએ તે બધાં વ્રત વાડરૂપે જાણવાં. બીજુ અણુવ્રત સ્થલ-મૃષાવાદ રમણું સાધુની પેઠે સર્વથા મૃષાવાદથી નિવૃત્ત થવું એ ગૃહસ્થને માટે મુશ્કેલ છે. કેમકે ગૃહસ્થથી સહજમાં બદલાઈ જાય છે કે, ઊઠ ! ઊઠે ! પહોર દી ચડી ગયો, અને દિવસ તે એક ઘડી પણ ચડે ન હોય ઇત્યાદિ અનેક પ્રકારનાં નાનાં નાનાં જૂઠ વચન સહેજે બેલાઈ જાય. સ્થૂલ મૃષાવાદ પાંચ પ્રકારનાં કહ્યા છે. તેને ત્યાગ કરવો. ૧. કનાલિક-કન્યા સંબંધી મૃષાવાદઃ જેમ કેટલાક શ્રીમાને પિતાની પુત્રીને શ્રીમન્તને ઘેર આપવાને માટે, દ્રવ્યના લાલચુઓ દ્રવ્યપાર્જન કરવાને માટે, તેમ જ સગા સંબંધીઓ તથા મહાજનના મોવડીઓ ખુશામત કરવાને માટે ઈત્યાદિ અનેક કારણોથી વેવિશાળના કામમાં વરકન્યાની ગ્યાયેગ્યતા કે ઉમ્મરના સંબંધમાં અસત્ય બોલે છે. આંધળી, કાણી, બહેરી, લૂલી, લંગડી, કુલક્ષણી, અંગહીન, રૂહીન, બુદ્ધિહીન, ઇત્યાદિ દુર્ગુણો કન્યામાં હોવા છતાં તેને છુપાવી, કન્યાની ખોટી પ્રશંસા કરીને સંબંધીઓને ફસાવી દે છે. લગ્ન થયા બાદ જ્યારે તે કન્યાના દુર્ગુણ પ્રગટ થાય છે, ત્યારે તેના પતિને તેમ જ કુટુંબીએને ઘણે પશ્ચાત્તાપ થાય છે. અનેક ઝઘડા ઊભા થાય છે, સંતાપ. અને કલેશથી તે દંપતીને જન્મારો વ્યતીત થાય છે. આઘાત પણ લાગે છે. આ જ પ્રમાણે, ૧૨ વર્ષની બાળકીને ૬૦ વર્ષના બુઠ્ઠા સાથે પરણાવી દે છે, બીબી ઘરોગ થાય ત્યારે મિયાં ઘર (કબર) જોગ થાય એ કહેવતને ચરિતાર્થ કરે છે. વળી, ૧૬ વર્ષની કન્યા અને ૧૦ વર્ષનો પતિ એવાં કજોડાં જોડી આપે છે. આ પ્રકારના અયોગ્ય સંબંધ જોડવાથી અનેક અનર્થ ઉત્પન્ન થાય છે. દયામૂળ પરમ જૈન ધર્મના
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy