SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ }}ર જૈન તત્ત્વ પ્રકાશ લાગેલાં છે એ ખરુ છે. પણ જે કર્મો અનાદિકાળ પહેલાં હતાં તેનાં તે જ અત્યારે પણ છે એમ નથી. કની ઉત્કૃષ્ટ સ્થિતિ તા ૭૦ ક્રડાક્રેડ સાગરાપમની છે. એટલે કર્મ બાંધવાં, છેાડવાં, વળી બાંધવાં વગેરે વ્યવહાર અનાદિ કાળથી ચાલ્યા આવતા હતા તે પૂર્વોક્ત વંશપરંપરાના દૃષ્ટાંતે અંધ પડતાં આત્માના મેાક્ષ પણ થઈ શકે છે. નવાં કમ આવતાં આછાં એછાં થતાં જાય અને જૂનાં કર્મ વધારે વધારે ખપતાં જાય તે એક વખત એવા આવે જ કે સર્વકના નાશ થઇ જાય. ૬. મેાક્ષના ઉપાય છે—ઉપરનુ` કથન સાંભળીને મુમુક્ષુઓને મેાક્ષ પ્રાપ્ત કરવાના ઉપાય જાણવાની જિજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે. તેમણે જાણવુ જોઇએ કે, જેવી રીતે સુવર્ણકાર માટીમાંથી સેાનાને પૃથક્ કરવા માટે કુલડીમાં સેાનાને સ્થાપન કરી ક્ષાર અને અગ્નિના પ્રયાગ વડે માટીને ખાળીને શુદ્ધ સુવર્ણ કાઢી લે છે, તેવી જ રીતે જ્ઞાનરૂપ સુવર્ણકાર દ્વારા સમજાણુ` કે આઠ કર્મરૂપ સ્મૃતિકામાં આત્મસુવણુ મિશ્રિત છે તેને પૃથક્ કરવું ઉચિત છે. ત્યારે ખધા ગુણના ભાજન સમાન સમ્યફ્રૂપ કુલડીમાં સ્થાપન કરી, તેની સાથે આત્મા અને કને છૂટા પાડનાર ચારિત્રરૂપ ક્ષારના પ્રયાગ મેળવી અર્થાત્ ચારિત્રધર્મીના સ્વીકાર કરી ક રૂપ મેલને ભસ્મીભૂત કરનાર તપરૂપ અગ્નિના પ્રયાગથી બાળી નાંખે, ખાદ્ય તપથી બાહ્ય ઉપધિને ભસ્મ કરે, અભ્યંતર તપથી અત્યંતર ઉપધિને ભસ્મ કરે. આ પ્રકારે આત્મા અને પરમાત્માની એકતારૂપ ધ્યાનથી ક રૂપ મેલથી આત્મારૂપ સુવર્ણને પૃથક્ કરે અર્થાત્ મેક્ષ પ્રાપ્ત કરે. જેવી રીતે ભટકતા માણસ સ્વસ્થાનને પ્રાપ્ત કરી સ્થિર થઈ સુખી થાય છે, તેવી જ રીતે અનાદિ કાળથી મિથ્યામાર્ગે ચડી ભૂલે પડેલા આત્મા ઉક્ત છ સ્થાનના વિચાર કરી, સદ્ધર્મના સ્વરૂપને યથાતથ્ય સમજવાથી સમ્યક્ત્વ સ્થાનમાં સ્થિર થઈ સુખી થાય છે. ૪ શ્રદ્ધાન ૩ લિગ, ૧૦ વિનય, ૩ શુદ્ધતા, ૫ લક્ષણ, ૫ દૂષણ, ૫ ભૂષણ, ૮ પ્રભાવના, ૬ ચતના, ૬ માગાર, ૬,
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy