SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્ત્વ પ્રકા કે રાજ્ય, ગણુ, બલવાન, સૂર કે વડીલને વહાલા થવા માટે અથવા પ્રખ્યાત થવા માટે અથવા ખાસ કારણ વગર છીંડીને સેવે તે તે મિથ્યાત્વ મેળવે. અત્યારે કુળદેવ કે કેાઇ દેવ આવતા તે નથી છતાં તેમનાથી ખેાટી રીતે ભય પામીને પૂજે તા તે મિથ્યાત્વ મેળવે. અગિયારમે બેલે ભાવના }પ પ્રત્યેક કાર્ય સિદ્ધ કરવા માટે ભાવનાના બળની પરમાવશ્યકતા છે, ' याशी भावना यस्य सिद्धिर्भवति तादशी જેવી જેની ભાવના હાય છે તેવુ જ તેને ફળ મળે. એટલા માટે ભાવનાથી વિશુદ્ધ અને તેનું બળ વધારવા નિર'તર પ્રયત્નશીલ રહેવું જોઇએ અને તેમ કરવા માટે નીચે લખેલા ૬ પ્રકારના કથનને લબિન્દુ બનાવવાથી સમકિતી સમતિમાં નિશ્ચલતા પ્રાપ્ત કરી શકે છે. , ૧. ધમ વૃક્ષનું સમ્યક્ત્વ મૂળ-વૃક્ષનું મૂળ મજબૂત હાયતા જ તે વાયુ આદિ ઉપદ્રવાની સામે ટકી શકે છે અને શાખા, પ્રતિશાખા, પત્ર, પુષ્પ, ફળ વગેરથી ફાલીફૂલી ઘણા કાળ પર્યંત ટકી શકે અને ઘણાં પ્રાણીઓને વિવિધ પ્રકારનાં સુખ આપનાર નીવડે છે તેવી જ રીતે ધર્મરૂપ વૃક્ષનું સમ્યક્ત્વરૂપ મૂળ છે, તે દૃઢ રહેવાથી ધર્માત્માએ મિથ્યાત્વરૂપ વાયુના ઉપદ્રવથી પરાભવ પામતા નથી, અને નિશ્ચળ રહી ચÀાકીતિરૂપ શાખા પ્રશાખાથી વિસ્તૃત થઈ દયારૂપ પત્રની છાયા, સદ્ગુણુરૂપ પુષ્પ અને નિામય સુખરૂપ ફળથી પેષકને સુખી બનાવે છે. ૨. ધર્માંનગરને સતિરૂપ કોટ અથવા દરવાજો જેમ નગરને! કાટ અને દરવાજા મજબૂત હાય તા દુશ્મના તેના પરાભવ કરી શકતા નથી, તેવી જ રીતે વિવિધ પ્રકારની કરણીરૂપ રિદ્ધિથી ભરપૂર ધરૂપ નગરના જો સમકિતરૂપ કેાટ મજબૂત હશે, તેા પાખડ રૂપ શત્રુ-સૈન્ય તેના પરાભવ કરી શકશે નહિ. વળી, જેવી રીતે દરવાજે થઇને નગરમાંજઈ સુખ પ્રાપ્ત કરી શકાય છે તેવી રીતે સમકિત રૂપ દરવાજામાં થઈને જ ધરૂપ નગરમાં પ્રવેશ કરી શકાય છે. સમકિત
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy