SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ થું ? સમ્યક્ત ૬૪૯ સમયના જ્ઞાતા જ્ઞાનીજન ધર્મકર્મની વિચિત્રતા અને કાળની ગહન ગતિથી ચલાયમાન થતા નથી, આશ્ચર્ય કે અફસ પામતા નથી તેમ જ વર્તમાનમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને અનુસાર સુધારણા કરી શકે છે અને જ્યોતિષ વિદ્યાના પ્રભાવથી તથા અનુમાન પ્રમાણથી ભવિષ્યને જાણતા હોવાથી દુષ્કાળ, રોગ, આદિ ઉપસર્ગોમાંથી પિતાને તેમ જ પિતાના ધર્મબંધુઓને બચાવી સુખી કરે છે. તેવી જ રીતે કાળજ્ઞાનને જ્ઞાતા પંડિત મૃત્યુને સમય નિકટ આવ્યો જાણી સમાધિમરણ દ્વારા પોતાના તથા અન્યના આત્માનું કલ્યાણ સાધી શકે છે. (૨ પૃષ્ઠ ૨૮મા નગરનું નામ હસ્તી છે. (૩) પૃષ્ઠ ૪૦ માં શેલારસને કપિનામાં કપિલ, કપીશ, કપિ, કપિચંચલ કહે છે કપિને અર્થ વાંદરો પણ થાય છે. (૪) પૃષ્ઠ ૪૮માં એલચીનાં મહિલા, કન્યાકુમારી, કુમારિકા, પૃથ્વીકાન્તા, બાળા, વગેરે નામે છેઆ નામ સ્ત્રીનાં પણ હોય છે. (૫) પૃષ્ઠ ૫૧ માં ચણકબાબને કેલ કહેલ છે. કેલ થ્રેસને પણ કહે છે. (૬) પૃષ્ઠ ૫૩ માં નાગકેસરને નાગ કહેલ છે. (૭) પૃષ્ઠ ૬૭માં ગેરચંદનને ગેલેચન કહેલ છે. (૮) પૃષ્ઠ ૧૦૬ માં આંબળાંને અંડા કહેલ છે. (૯) પૃષ્ઠ ૧૨ માં ચિત્રકને ચિત્તો કહેલ છે. (૧૦) પૃષ્ઠ ૩૨૦ માં ગરણીનું નામ કેયલ છે. એવી જ રીતે ઈંદ્રાણી, શક્રાણી મર્કટી, શુક, વાનરી, લાલમૂર્ગા, કોકિલા દેવી ચંડા, કાકજંદા કાકનાસિકા, દસી, રાજહંસી, હંસરાજ, હંસપદી, પાર્વતી, (કાજુકેળિયા) પુત્રજીવી, કૌતેય, કૃષ્ણ, શૃંગ, નાગ, સીસું), મયૂર (મોરથુથુ) આદિ અનેક વનસ્પતિ, પ્રાણીઓને નામે કહી છે એટલા માટે શાસ્ત્રના શબ્દોના અર્થ યથાર્થ–ચિત સમજવા જોઈએ. મહાદયાળુ જૈનધમી સ્વપ્નમાં પણ ઉક્ત અભક્ષ્ય વસ્તુની ઈચ્છા પણ કરે નહિ, તે પછી તીર્થકરો અને સાધુઓનું તે કહેવું જ શું ? અર્થાત જૈિન ધર્મ માંસ, મચ્છ, મદિરાને આહાર કરવાવાળા હોય જ નહિ, એ નિશ્ચયપૂર્વક સત્ય માનવું.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy