SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્ત્વ પ્રકાશ જો તે પાપકમ છોડે તેા ઠીક, ન છેડે તે તેમાં અશુભ કર્માંના ઉદયની પ્રમલતા જાણી તેમના પર દ્વેષ કરતા નથી. જેવી રીતે ગૃહસ્થ પેાતાના કુટુંબને દુઃખથી બચાવવા ઉપચાર કરે છે તેવી રીતે સમ્યગ્દષ્ટિ પણ સર્વાં પ્રાણીઓને પેાતાના મિત્ર માનીને મિત્ત્ત મે સ~भूएस એ જિનાજ્ઞાને અનુકૂળ આચરણ કરી. ‘વસુધૈવ કુટુમ્ન અર્થાત્ સર્વાં જીવાને પેાતાના કુટુંબવત્ માને છે અને તેમના હિતની, સુખની ચેાજના કરે છે. , ૬૩૦ ડાહ્યા પુરુષાએ દાનથી પણ્ યા-અનુક’પા અધિક કહી છે. કારણ કે ધન ખૂટી જવાથી દાન દેવાનું બની શકતું નથી, પણ અનુકંપાનું ઝરણુ તે સમષ્ટિ જીવાના હૃદયમાં નિરતર વહેતુ જ રહે છે. અને આ અનુકપા એ સમિકતીનું લક્ષણ છે. ૫. આસ્થા-શ્રી જિનેશ્વરભાષિત ધર્મ અને ધર્મશાસ્ત્ર પર દૃઢ શ્રદ્ધા–પ્રતીતિ રાખે. કહેવત છે કે, આસતા સુખ સાસતા અર્થાત્ આસ્તાથી શાશ્વતા સુખની પ્રાપ્તિ થાય છે. મંત્ર, યંત્ર, જડીબુટ્ટી ઔષધ, વ્યાપાર અને ધર્મ આદિ દરેક વિષયમાં વિશ્વાસ (આસ્થા) હાય તેને ફળ પ્રાપ્તિ થાય છે. ભૂતકાળ તરફ નજર કરીશુ તે અરહન્નકજી, કામદેવજી, મહૂકજી * શ્રેણિક મહારાજા અને કૃષ્ણ વાસુદેવ આદિ સમ્યગ્દષ્ટિ શ્રાવકે કેટલી બધી દૃઢ શ્રદ્ધાના ધારક હતા ! અરહન્નક, કામદેવ, કોણિક અને કૃષ્ણજીનું ચરિત્ર ઘણા જૈનબ ધુ જાણતા હાય છે. પરંતુ મડૂક શ્રાવક વિષે ઘણા અજ્ઞાન હાય છે, તેથી અહી તેમના ટૂંકો પરિચય આપીએ છીએ. શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે, રાજગૃહૌ નગરીના ગુણશીલ ચૈત્યમાં મહાવીર પ્રભુએ પંચાસ્તિકાય વિશે વ્યાખ્યાન ફરમાવ્યું તેની સમજ કાલિયાદિ અન્ય તી િને ન પડવાથી તે સમવસરણની બહાર નીકળી ઉપહાસ કરવા લાગ્યા. એટલામાં મંડૂક શ્રાવક પ્રભુ દનાર્થે જતા હતા તેને જોઈ બાલ્યા કે તારા ગુરુ મહાવીર તે ગપ્પાં મારે છે. આજે વ્યાખ્યાનમાં કહ્યું કે ધર્માસ્તિકાય ચલનસહાય છે વગેરે; પણ અમે તે તેને જરા પણ જોઈ શકતા નથી. મ`ડૂકજી વિશેષજ્ઞ તા નહોતા, પણ ઉત્પાતિકી બુદ્ધિથી તરત જવાબ આપ્યો કે, આ વૃક્ષનાં પાંદડાં કોણ હલાવે છે ? તેમણે કહ્યુ કે પવન. મંડૂકજી બાલ્યા—પવનને તમે જોઈ શકો છે ? તે કહે, ના. તે પછી પવનનું નામ શા માટે લે છે ? ત્યારે તે કહે-પાંદડાં હાલતાં જોઈને. ત્યારે મંડૂકજી બાલ્યા—જેમ વાયુ સૂક્ષ્મ છે તેમ ધર્માસ્તિકાય પણ સૂક્ષ્મ છે, અને જેમ વાયુ પાંદડાં હલાવવામાં સહાયક છે તેમ ધર્માસ્તિકાય ચલન શક્તિમાં સહાયક છે, ઈત્યાદિ પ્રત્યુત્તરથી પ્રતિપક્ષને નિરુત્તર બનાવી તેઓ સમવસરણમાં આવ્યા. ભગવાને ચારે તી સન્મુખ તેમની તારીફ કરી. *
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy