SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ : મિથ્યાત્વ પ૭૫ શાસ્ત્રમાં આવા ખુલાસા હોવા છતાં પણ સાધુ સિવાય અન્યને આપવામાં પાપ બતાવે તેને જન કેમ કહેવાય? આવા ઉપદેશ સાંભળીને સન્માર્ગને છોડી ઉન્માર્ગે ન જશો, અને આ મિથ્યાત્વથી આત્માને બચાવ. જન ધર્મની શાખા, પ્રશાખાઓમાં જેઓ શુદ્ધ ધર્મની શ્રદ્ધાવાળા છે તેને ઉન્માર્ગમાં સમજનાર અને તેની નિંદા કરનાર ચીકણા મિથ્યાત્વનાં દલિકે એકઠાં કરે છે અને દુર્લભધિ થાય છે. ૧૯. ઉન્માન સમાર્ગ શોધે તે મિથ્યાત્વ પૃથિવ્યાદિક છે કાય જીવોની હિંસા, પુષ્પ, ફળ, ધૂપાદિક દેને ધરવાં, યજ્ઞ હવનાદિ કરવાં, દુર્બસનો સેવવાં તેમ જ સ્ત્રી આદિના ભોગ, નૃત્ય, નાટકાદિ જે સંસાર પરિભ્રમણના હેતુભૂત છે તેને તથા ઉપર જે પંથ ઉન્માર્ગરૂપ બતાવ્યો છે, તેને કર્મ ક્ષય કરવાને મુક્તિનો માર્ગ શ્રધે તે મિથ્યાત્વ. આસવના હેતુને સંવરનો હેતુ માને તે ઉન્માર્ગ છે. કેઈ જ્ઞાની આસવના હેતુ પ્રાપ્ત થયે શુદ્ધ અધ્યવસાયથી સંવર નિર્જરામાં જાય પણ આસવનો હેતુ તે આસવને હેતુ જ ગણાય. ૨૦ રૂપીને અરૂપી શ્રધે તે મિથ્યાત્વ વાયુકાયાદિ કેટલાક આસ્પશી રૂપી (સાકાર–મૂર્તિમન્ત) પદાર્થો છે પરંતુ બારીક અને પારદર્શક હોવાથી તે દૃષ્ટિગોચર થઈ ૪ લૂખી (કેરી) નમસ્કાર-મનહર છંદ જળ જો ચઢાઉં નાથ, કચ્છ મ0 પીવો કરે; દૂધ જે ચઢાઉં દેવ વચ્છકી જભર છે ! ફૂલ જે ચઢાઉં પ્રભો, ભંગ તાથિ સુંધ જાત; પત્ર જે ચઢાઉં ઇશ, વૃક્ષકા ઉજાર હૈ | દીપ જે ચઢાઉં નાથ, શલભ તેહિ ભસ્મ હોત; ધૂપ જે ચઢાઉં વહી, અનિકે આહાર હૈ ! મેવા મિષ્ટાન સામે સખી મુખ ડાર જાત; ફલ જે ચઢાઉં સહી, તોતિકી જઠાર હૈ it એતી એવી વસ્તુએ હૈ સબકી હૈ દેવયુક્ત; યાત મહારાજ મેરી, લૂખી નમસ્કાર હૈ |
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy