SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૪ જૈન તત્વ પ્રકાશ તેના બે ભેદ છે, (૧) આગમથી—શાસ્ત્ર ભણે, પણ તેને કંઈ અર્થ સમજે નહિ. તેમ જ ઉપગ રાખ્યા વગર શૂન્ય ચિત્તથી. અને પરિણામની ધારા બીજી તરફ રાખીને ભણે તેને “આગમ”થી દ્રઢ. નિક્ષેપ કહે છે. (૨) ને આગમથી–તેના ત્રણ ભેદ છે. ૧. જાણગ શરીર દ્રવ્યા વશ્યક–જેમ કોઈ શ્રાવક આવશ્યક સૂત્ર (પ્રતિક્રમણસૂત્રોના જણ-- પણવાળે આયુષ્ય પૂરું કરી મરી ગયે. તેનું શરીર જીવરહિત પડ્યું છે, તેને એમ કહે કે, “આ શ્રાવક આવશ્યકનો જ્ઞાતા હતે. દષ્ટાંત—જેમાં ઘી ભરાતું હતું તેવા ખાલી ઘડાને દેખી કહે કે “આ, ઘડો ઘીને છે.” ૨. ભવિય શરીર દ્રવ્યાવશ્યક—કેઈ શ્રાવકને ઘેર પુત્ર થયે, તે પુત્રને કહે કે “આ આવશ્યક સૂત્રને જ્ઞાતા થશે.” દષ્ટાંત– સાવ કોરો ઘડે છે તેને જોઈને કહે કે “આ ઘીનો ઘડો થશે.” ૩. જાગ ભવિય વ્યતિરિક શરીર દ્રવ્યાવશ્યક. એના વળી ત્રણ ભેદ. ૧. લૌકિક, ૨. કુપ્રવચનિક ૩. લેકર. તે ત્રણનો વિસ્તાર વર્ણવે છે. (૧) લૌકિક–રાજા, શેઠ, સેનાપતિ હંમેશ સભામાં જઈને કરવા યેચ કામ કરે તે લૌકિક દ્રવ્ય આવશ્યક (૨) કુકાવચનિક–જેઓ ઝાડની છાલ અને પાંદડાંનાં વા પહેરનાર (ચકચિરિયા) છે. મૃગચર્મ-વ્યાઘચર્મ રાખનારા (ચમખેડાં) છે, ભગવાં વચ્ચે પહેરનારા (પાંડુરંગા) છે, માત્ર નામધારી તાપસ (પાલ્યા) છે, એવા અનેક જાતના સાધુ, વૈરાગીઓ, પોતાના નિત્ય નિયમ પ્રમાણે ષ્કાર વગેરેનું ધ્યાન કરે, તેમ જ ક્રિયા કરે, તે કુખાવચનિક દ્રવ્ય આવશ્યક (૩) કેન્નર-જેઓ (ઈમે સમગુણ મુક્કા) સાધુના ગુણોથી રહિત છે, (જેગ છકાય નિરણુકંપા) છ કાયના જીની દયા ન પાળનારા, (યાદવઉદમા) ઘેડાની પેઠે ઉન્મત્ત, (ગયા ઈવ નિરંકુરા) હાથીની પેઠે અંકુશ રહિત, (ઘટ્ટા) શરીરની શુશ્રષા-ટાપટીપ કરે (મઢા) મઠધારી, (તિપુઠ્ઠા) તપ રહિત, (પંડુર પટ્ટા) ઝવેત વસ્ત્રધારી, (જિણાણું આણ રહિતા) શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા અને
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy