SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્ત્વ પ્રકાશ અધર્માસ્તિકાય પર પણ સાત નય ધર્માસ્તિકાયની પેઠે જ જાણવા. તેમાં એટલું વિશેષ કે જ્યાં, ચલનસહાય ગુણ કહ્યો છે ત્યાં અધર્માસ્તિકાયને સ્થિતિ ગુણ સમજવે. ૪૬૪ આકાશાસ્તિકાય પર ૭ નય-૧. નૈગમનયવાળો આકાશના એક પ્રદેશને આકાશાસ્તિકાય માને છે. ૨. સગ્રહનયવાળો સ્કંધ, દેશની અપેક્ષા રાખ્યા વિના તે હોપ ને બહોપ અર્થાત્ એક લેાકાકા, એક અલેાકાકાશ એને આકા શાસ્તિકાય માને. ૩. વ્યવહારનયવાળો ઉઘ્ન, અધે અને તિર્થંક લેાકના આકાશને આકાશાસ્તિકાય માને છે. ૪. ઝુત્રનયવાળો આકાશ પ્રદેશમાં જે સમયે જે વસ્તુ આકાશ પ્રદેશમાં હોય તેને આકાશ કહે. જેમ કે, ઘટાકાશ. પટાકાશ. જે જીવ અને પુદ્ગલ રહે તેમાં પગુ હાનિ વૃદ્ધિના પ્રમાણે જે ક્રિયા કરે છે તેને આકાશાસ્તિકાય કહે છે. ૫ શબ્દનયવાળો—અવગાહ (અવકાશ) લક્ષણ વાળી પેાલારને આકાશાસ્તિકાય કહે છે. ૬. સમભિરૂઢનયવાળો વિકાસ ગુણને આકાશાસ્તિકાય કહે. ૭. એવ’ભૂતનયવાળો આકાશાસ્તિકાયના દ્રવ્ય, ગુણ, પર્યાય, ઉત્પાદ, વ્યય, ત્ર, એ સર્વેના નાયકને તેમાં ઉપયેગ હોય ત્યારે આકાશાસ્તિકાય કહે છે. કાળ પર સાત નય–૧. નૈગમનયવાળો સમયને કાળ કહે. કારણ કે ત્રણ કાળના સમયના એકસરખા ગુણુ છે. ૨. સંગ્રહનયવાળો–એક સમયથી માંડીને કાળચક્ર લગીનાં તમામ માપને કાળ કહે.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy