SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ જૈન તત્ત્વ પ્રકાશ સાત જ્યમાં ૧. નૈગમ, ૨. સંગ્રહ, . વ્યવહાર અને ૪. જુસૂત્ર, એ ચાર ય વ્યવહારમાં ગણાય છે; પ. શબ્દ, દ. સમભિરૂઢ છે. એવંભૂત એ ત્રણ નય નિશ્ચયમાં ગણાય છે. કોઈ વખતે બાજુ સૂત્ર નયને પણ નિશ્ચયમાં ગણે છે. જેનાથી વસ્તુની મુખ્યતા (પ્રત્યક્ષ ગુણ-બહ્ય ગુણ) તરફ વિચારણા થાય તેને નિશ્ચય નય કહે છે. નવ તત્વ ઉપર સાત નય જીવ તત્વ–૧. નિગમ નય વાળે–પર્યાન, પ્રાણુ વગેરેના સમૂહવાળું, પ્રગસા પુદ્ગળોના સાગનું બનેલું જે શરીર દેખાય છે તેને જીવ કહે છે. જેમકે-બળદ, રાય, માણસ, વગેરે વસ્તુઓમાં ગમનાગમન વગેરે કિયા દેખાય છે, તેને ગત કહે છે કે એ “જી” છે. ગમનય વાળો એક અંશને પૂર્ણ વસ્તુ માને છે, અને કારણને કાર્ય માને છે. ૨. સંગ્રહ નયવાળો-અસંખ્યાત પ્રદેશી અવગાહન વાળી વસ્તુને “જીવ” કહે છે. ૩. વ્યવહારનયવાળો–ઈદ્રિયોની સત્તા, દ્રવ્ય યોગ અને દ્રવ્ય લેશ્યાના વ્યવહારમાં હેય તેને જીવ કહે છે કેમકે જીવ જ રહ્યા પછી ઈદ્રિયેની સત્તા રહેતી નથી. ૪. જુસૂત્ર નયવાળો-ઉપયેગવંતને જીવ કહે છે. ૫. શબ્દ નયવાળો-જ્યાં અર્થ મળે ત્યાં જીવ માને છે. જેમ કે ભાવ પ્રાણથી જીવે તે જીવને જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય. ૬. સમભિરૂઢનયવાળો શુદ્ધ સત્તાધારક, જ્ઞાનાદિ નિજ ગુણમાં રમણ કરનાર, ક્ષાયક સમ્યફવીને જીવ માને છે. ૭. એવંભૂતનય વાળો–સિદ્ધ ભગવાનના જીવને જ “જીવ’ કહે છે. અજીવ તવ-અજીવ તત્ત્વના મુખ્ય ૫ પ્રકાર છેઃ ૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય, ૪. કાળ. ૫. - પુદગલાસ્તિકાય એ પાંચ ઉપર સાત નય લાગુ પડે છે. ૧. નિગમનયવાળો અંશને પૂર્ણરૂપે માનતે હોવાથી ધર્માસ્તિકાયના એક પ્રદેશને પણ ધર્માસ્તિકાય માને છે, કારણ કે તેના એક પ્રદેશમાં પણ ચલણસહાયની સત્તા છે.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy