SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ જી : સૂત્ર ધ માટે તે ભાવો ઉત્પન્ન થાય છે, તે ભાવમય આત્મા પુદ્ગળ સયેગી હાવાથી પુદ્ગલી ગાય. જેમ દડવાળા માણુસ દાંડી કહેવાય તેમ. શુદ્ધ વ્યવહારની મુખ્યતારમે તા ધમ તત્ત્વ જ છે, જીવના નિજગુડુની પેદાશ છે અને અરૂપી છે માટે નિશ્ચય નયની અપેક્ષાએ એ ત્રણે તત્ત્વને જીવ ગણવાં. એ પ્રમાણે નવ તત્ત્વના બે તત્ત્વ (જીવ અને અજીવ)માં સમાટેક્સ થયે. પુન્ય, પાપ, આસવ અને અધ તત્ત્વમાં જે કમ પરમાણુએ છે તેનું ઉપાદાન કરણ પુદ્ગલ છે અને નિમિત્ત કારઝુ જીવના વિકારભાવ છે. તે બન્ને હેય છે, તેમાં ઉપાદાન કારણુ કારૂપે પરિણમે માટે અહીં અવ તત્ત્વની મુખ્યતા છે. ૪૫૧ પ્રશ્ન-જીવના અશુભ ચેગને આસૂત્ર કહે છે તેટલા માટે આસનને જન ગણે તે શી હરકત છે ? સમાધાન-જીવન અશુભ ભાવ તે આશ્રવનુ કારણ છે. કાર ણમાં કાર્ય ના ઉપચાર કરવાથી અશુભ ભાવને આસ્રવ કહેવાય છે, પણ આવ એટલે કર્મીની આવક. તે કંતુ ઉપાદાન કારણ પુદ્ગલ છે અને નિમિત્ત કારણુ જીનના અશુભ ભાવ છે અને કર્મ વિના અશુભ ભાવ ઉત્પન્ન થાય જ નહિ. જો કમ વિના અશુભ ભાવ ઉત્પન્ન થાય તા સિદ્ધ ભગવાન ( જે કરહિત છે તે)ને પણ આસ્રવ લાગે, પણ સિદ્ધ ભગવાનને તે કડ્ડી પણ આશ્રવ લાગતા જ નથી. એ વિચારણાથી નિશ્ચય થાય છે કે જીવ અને કર્મના સન્હેગ અનાદિકાળથી છે અને સકમી જીવ આસવને વ્રણ કરે છે. તેનુ મુખ્ય ઉપાદાન કારણે ક જ છે, માટે અસત્ર પશુ અજીવ છે. શીતલ પાણીમાં ઉષ્ણતા આણનાર અગ્નિ છે, પાણી નથી. તે પ્રમાણે આસવને નિશ્ચયથી કર્યાં અજીવ છે, અને વ્યવહારથી નિમિત્તરૂપે કર્તા જીવ છે. જ્યાં ઉપાદાન કારણે જીવ છે ત્યાં તે તત્ત્વની મુખ્યતા છે. અને જયાં ઉપાદાન કારણે પુગળ છે ત્યાં અજીવ તત્ત્વની મુખ્યતા સમજવી. ઉપાદાન કારણુ કાર્ય રૂપે પરિણમે છે તેથી તેની મુખ્યતા સમજવી અને નિમિત્ત કારણુ કાર્ય ઊપજે એટલે છૂટી જાય તેથી તેની ગૌણતા -સમજથી, પણ એકાંતવાદમાં ઊતરવું નહિ.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy