SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ४४४ જૈન તત્વ પ્રકાશ આવકમાં હરકત કરે, ૩. ભોગાંતરાય-કેઈને ખાનપાન જેવી ચીજોની અંતરાય પાડે. ૪. ઉપભેગાંતરાય-કેઈને વસ્ત્રાભૂષણ જેવી ચીજોની અંતરાય પાડે છે. પ. વીઆંતરાય-કેઈને ધર્મધ્યાન કરવા ન દે અથવા સંયમ ન લેવા દે. એ પાંચ પ્રકારે બાંધેલાં અંતરાય કર્મનાં માઠાં ફળ પાંચ પ્રકારે ભગવે છે તે પણ બાંધ્યા પ્રમાણે જ જાણવાં. ૧. દાનાંતરાય-દાન દઈ શકે નહિ, ૨. લાભાંતરાય-લાભ મેળવી શકે નહિ. ૩. ભેગાંતરાય અન્નાદિ જેવી એક વખત ભોગવી શકનારી ચીજો ભોગવી શકે નહિ, ૪. ઉપભોગતરાય-વસ્ત્રાદિ જેવી વારંવાર ભેગવી શકાય એવી ચીજો ભોગવી શકે નહિ. ૫. વીર્યા રાય-ધર્મ, ધ્યાન, તપ, સંયમ કરી શકે નહિ. એ પ્રમાણે ૮ કર્મ બાંધવાની તથા તેનાં ફળ ભોગવવાની રીત જાણવી. જ્ઞાનાવરણીય કર્મની ૬, દર્શનાવરણીય કર્મની ૬, વેદનીય કર્મની ૨૨, મેહની કર્મની ૬, આયુષ્ય કર્મની ૧૬, નામ કર્મની ૮. ગોત્ર કર્મની ૧૬. અને અંતરાય કર્મની ૫ એ સર્વ મળી ૮૫ પ્રકૃતિએ આઠ કર્મ બાંધવાની થઈ. વળી, જ્ઞાનાવરણીયની ૧૦ દશનાવરણીયની ૯, વેદનીયની ૧૬ મેહનીયની પ, આયુષ્યની ૪. નામની ૨૮, ગોત્રની ૧૬ અને અંતરાયની પ મળી ૯૩ પ્રકૃતિ, આઠ કર્મનાં ફળ ભોગવવાની થઈ. એમ ૮૫+૯૩ મળી એકંદર ૧૭૮ પ્રકૃતિ છે પણ તેમાં નામકર્મની ૧૦૩ પ્રકૃતિ વિસ્તારે કહી છે તે મેળવીએ તે ૨૮૧ પ્રકૃતિ થાય છે. એ પ્રમાણે આઠ કર્મની પ્રકૃતિનો બંધ તેને પ્રકૃતિબંધ કહે છે. (૨) સ્થિતિ બંધ (૨) સ્થિતિ બંધ-હવે આઠે કર્મની સ્થિતિને કાળ કહે છે. ૧. જ્ઞાનાવરણીય. ::ઉપદેશ આપી વૈરાગ્ય ભાવથી કોઈને ભોગ ઉપભોગ તોડાવે તે અગર દયા નિમિત્તો છોડાવે તો તે “અંતરાય કર્મ નહિ.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy