SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્ત્વ પ્રકાશ ૪૨૪ ક્રિયા આવ્યા કરે છે, તે અત્રતીની કાયિકી ક્રિયા અને, (૨) દુપ્રયુક્ત કાયિકી ક્રિયા–રે સાધુ-શ્રાવક વ્રતપચ્ચખ્ખાણુ કર્યા પછી પણ અયતનાએ શરીર પ્રવર્તાવે તે વ્રતની કાયિકી ક્રિયા. (૧) અધિકરણુકી કિયા—ચાકુ, છરી, સાય, કાતર, તલવાર, ભાલા, બરછી, ધનુષ્યબાણુ, બંદુક, તાપ, કોદાળી, પાવડા, હળ, ઘટી, સાંબેલુ, વગેરે શસ્ત્રોના સ ́ગ્રડ કે પ્રયાગ કરવાથી તથા કઠોર, દુઃખપ્રદ ઘાતક શસ્ત્રો સમાન દુઃખદાતા વનેચ્ચાર કરવાથી અધિકરણિકી ક્રિયા લાગે છે. તેના બે પ્રકાર છે: (૧) સંયેાજનાધિકરણિકી-શસ્ત્ર અધૂરાં હોય તે પૂરાં કરવા—જેમકે તલવારની મૂઠ, ઘટીનેા ખીલડો, ચપ્પુના હાથે, વગેરે બેસાડવાં. વળી, મૂઠ્ઠી ધારને તીક્ષ્ણ ધાર કરવી, જેથી તે શસ્ત્ર ઉપયેગમાં આવે અને આરભનાં કામે ચાલુ થાય. વચનશસ્ત્રની ક્રિયા જૂના કજિયા ઉખેળવાથી લાગે (૨) નિત્ર નાધિકરણિકી –શસ્ત્રો નવાં બનાવી એકઠાં કરે અને વેચે, એ શસ્ત્રોથી જગતમાં જેટલાં જેટલાં પાપ થાય તેની ક્રિયા બનાવનારને લાગે છે. વચનરૂપી શસ્ત્રથી નવા કજિયા ઉપજાવે તો ક્રિયા લાગે. વચનરૂપી શસ્ત્રથી મરણ પામેલા જીવા ક્રુતિમાં અતિ દુઃખ પામે છે, માટે વચનરૂપી શસ્ત્રથી પણ અધિકરણિકી ક્રિયા લાગે છે. કઈ શસ્ત્રના પેાતાને અર્થે ઉપયાગ કરવાથી પણ ક્રિયા લાગે છે. (૩) પ્રાટ્રુષિકી ક્રિયા-અદેખાઈના વિચાર કરવાથી આ ક્રિયા લાગે છે. ખીજાને ધનવાન, બળવાન, સુખી, સત્તાધીશ, વિદ્વાન દેખી દ્વેષભાવ લાવે, ઈર્ષ્યા કરે અને એવુ' ચિ'તવે કે એ કયારે દુઃખી ને પાયમાલ થાય ! વળી, લેભિયા, ચાર, જૂડો, વગેરે જીવા દુઃખ પામે અગર નુક સાન થાય તેા તે ખુશી થાય અને ખેલી નાંખે કે, બહુ સારું થયું. એ પાપી એ જ લાગના હતા, દુષ્ટ જના ઉપર તો દુઃખ પડવું જ જોઈ એ, વગેરે. પ્રાદ્ભષિકી ક્રિયાના બે ભેદ છે. (૧) જીવ ઉપર દ્વેષ લાવવેમનુષ્ય, પશુ, વગેરે જીવાને દુ:ખ થાય અગર મરી જાય અગર
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy