SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ મું : સાધુજી કરે. વળી, એક પહેાર પૂરો થાય ત્યાં લગી સ્વાધ્યાય કરે. તથા શ્રોતાએના ચાગ્ય સમુદાય હોય તે ધર્મોપદેશ (વ્યાખ્યાન) આપે. તે પછી ધ્યાન અને શાસ્ત્રના અર્થાનું ચિંત્વન કરે. ને ભિક્ષાને કાળ હોય તે ગોચરી નિમિત્તે જઈ શુદ્ધ આહાર, શાસ્ત્રની વિધિ પ્રમાણે લાવી શરીરને ભાડુ આપે-શરીરને નભાવે. ૩૧૯ ચેાથા આરામાં એક ઘરમાં ૨૮ પુરુષ અને ૩૨ સ્રી હેય તા તે ઘર ગણતરીમાં લેવાતુ' અને સાડ઼ મનુષ્યની રસાઈ તૈયાર કરતાં સહેજે એ પહેાર દિવસ વહ્યો જતા. વળી, તે વખતે બધા માણસે એક જ+ વખત ભાજન લેતા હતા, એ વગેરે કારણેાથી ચેથા આરામાં સાધુએ ત્રીજે પહેારે ભિક્ષા લેવા માટે જતા હતા. શાસ્ત્રમાં કહ્યું છે કે, ‘જાહે વાટ' સમાચરે’ એટલે જે સ્થળમાં ભિક્ષાને માટે જે કાળ હોય તે વખતે ગાચરીએ જવું. [ભિક્ષાના કાળના વિચાર કર્યાં વગર અગાઉથી કે પાછળથી જાય તેા ગેાચરી માટે ઘણું ફરવું પડે. ધારેલા આહાર ન મળે, શરીરને કલામના થાય. લોકોમાં પણ નિંદા થાય કે, ટાણું કટાણું જોયા વગર સાધુ શા માટે ક્રૂરતા હશે ! સ્વાધ્યાય અને ધ્યાનને વખત પણ ચુકાય, તેથી અંતરાય પડે, વગેરે દેષોના વિચાર કરી સાધુએ કાળના વિચાર કરી ભિક્ષા લેવા સારુ જવું] એટલે શાસ્ત્રોક્ત વિધિથી આહાર કરે. પછી પાછુ ધ્યાન અને શાસ્ત્રોની ચિંતવના કરે. છેવટે, દિવસના ચાથે પહેારે ફરી પિડલેહણ [પ્રતિલેખના] કરી સ્વાધ્યાય કરે, સાંજે અસજ્ઝાયને વખતે દેવસી પ્રતિક્રમણ કરે. અને અસજ્ઝાય નિવતી ગયા પછી રાત્રિના પહેલા પહેારે સાય કરે. બીજે પહેરે ધ્યાન અને શાસ્ત્રવિચારણા કરે અને ત્રીજા પહેારને અંતે નિદ્રામાંથી મુક્ત થાય. રાત દિવસની સાધુની ક્રિયા શ્રી * પહેલા આરામાં માણસોને ત્રણ ત્રણ દિવસને આંતરે, બીજે આરે બબ્બે દિવસને અંતરે, ત્રીજે આરે એક એક દિવસને આંતરે અને ચાથા આરામાં એક દિવસમાં એક વખત ભાજનની ઈચ્છા થતી હતી.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy