SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ જૈન તત્વ પ્રકાશ કુતરાની પેઠે વિષયમાં લુખ્ય છે તેવા માણસે એ સ્ત્રીરૂપી હાડકાંના ખોખામાં અતિ મોહિત થઈ, પિતાનું વીર્ય ક્ષય પામે છે, છતાં ખુશી માને છે! વીર્ય ક્ષય થવાથી, તેમ જ ચિત્ત વિષયમાં જ પરેવાયેલું રહે છે તેથી ચાંદી, વિસ્ફટક, બદગાંઠ, રક્તપિત, વગેરે ગરમીના રોગો થાય છે. આખરે અતિશય પસ્તાવો કરતાં કરતાં મરણ પામી દુર્ગતિમાં : અવતાર લેવો પડે છે, એ વિચાર કરી કામવાસનામાંથી મનને ખેંચી - બ્રહ્મચર્ય તરફ વાળવું. બ્રહ્મચારીએ હંમેશાં એ વિચાર કરે કે હે આત્મન ! તું જે ઠેકાણે અસહ્ય પીડા સહન કરી ઉત્પન્ન થયે, પા છે તે જ મલિન જગ પર મોહિત થઈ વિયરૂપી કાદવમાં ખૂંચવા જાય, તે તને કંઈ પણ શરમ નથી થતી? આપણી માતા, બહેને, વગેરેના શરીરને જે જે રીતે દેખાવ, રૂપ, આકાર છે તે જ પ્રમાણે સર્વ સ્ત્રીઓનું છે. છતાં ખરાબ દૃષ્ટિથી કેઈ પણ સ્ત્રી જાતિ ઉપર જોવાય જ કેમ? વગેરે વિચારો કરી કામરૂપી ઈચ્છાઓને દબાવી મનને પૂર્ણ શાંતિમાં લાવવું. જેવી રીતે ગૂમડાને આરામ થવા માંડે છે ત્યારે તેમાં ચળ ઘણી આવે છે, એવે સમયે જો ખંજવાળવા માંડે તે ગુમડામાંથી લેહી નીકળે છે અને તેને મટતાં ઘણી વાર લાગે છે, પણ જે આત્માને વશ રાખી ગૂમડાને હાથ ન લગાડે તે થોડા વખતમાં તે ગૂમડું મટી જાય છે અને પૂરો આરામ આવી જતાં સુખ થાય છે. એ રીતે, આ મનુષ્ય ભવમાં કામવિકારૂપી ગૂમડું મટી મિક્ષરૂપી આરામ મેળવવાને સમય આવ્યે છે, ત્યારે બીજી ત્રણ ગતિ કરતાં માણસના જન્મમાં કામવાસનાનો ઉદય (મનુષ્યને મૈથુન સંજ્ઞા ઘણું) વધારે હોય છે. એ સમયે આત્માને કબજામાં રાખી વિષયનું સેવન * 'लोक-दर्शनात् हरति चित्त', स्पर्शनात् हरति बलम् , । संभोगात् हरति वीर्य, नारी प्रत्यक्ष राक्षसी ॥ અર્થ–સ્ત્રીને જોવાથી તે ચિત્તને હરી લે છે, સ્પર્શ કરવાથી બળને હરી લે છે, ભોગવવાથી વીર્યનો નાશ કરે છે, એટલા માટે સ્ત્રી પ્રત્યક્ષ રાક્ષસી– સર્વ સુખનો નાશ કરનારી છે.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy